
હકીકતમાં, હસન તિલકરત્ને એક વાર ટીમમાંથી બહાર થયો પછી પાછો ટીમમાં ફરી શક્યો જ નહીં. આ વર્ષ 2004માં થયું હતું જ્યારે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે હોમ સિરીઝમાં 0-3થી હારનો સામનો કર્યા બાદ તેની ટેસ્ટ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા બાદ તેને ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો અને તે ફરીથી ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. બે વર્ષ પછી 2006માં તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.

કપિલ દેવનો 432મો શિકાર બનેલા હસન તિલકરત્નેએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 83 મેચ રમી હતી, જેમાં તેણે 11 સદીની મદદથી 4545 રન બનાવ્યા હતા, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 204 અણનમ રહ્યો હતો. તે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ શ્રીલંકન બેટ્સમેન છે. હસન તિલકરત્ને શ્રીલંકા તરફથી 200 વનડે પણ રમ્યો હતો.
Published On - 11:57 pm, Thu, 8 February 24