ભારત માટે 4 સદી ફટકારી, 5 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર, હવે આ દેશમાં રમશે ક્રિકેટ

ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલો 35 વર્ષીય અનુભવી બેટ્સમેનને ઈંગ્લેન્ડમાં ફરી એકવાર રમવાની તક મળી છે. કાઉન્ટી ચેમ્પિયનશિપની અંતિમ મેચો માટે ઈંગ્લેન્ડની એક ટીમે તેને કરારબદ્ધ કર્યો છે. અગાઉ પણ તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે. હવે આ ખેલાડી માટે ફરી એકવાર પોતાની બેટિંગથી પસંદગીકારોનું ધ્યાન ખેંચવાની તક છે.

| Updated on: Aug 31, 2026 | 7:41 PM
1 / 5
ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર મયંક અગ્રવાલ ફરી એકવાર ઈંગ્લેન્ડમાં રમતો જોવા મળશે. કાઉન્ટી ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડ માટે ડરહામ દ્વારા તેને સાઇન કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર મયંક અગ્રવાલ ફરી એકવાર ઈંગ્લેન્ડમાં રમતો જોવા મળશે. કાઉન્ટી ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડ માટે ડરહામ દ્વારા તેને સાઇન કરવામાં આવ્યો છે.

2 / 5
ક્રિકેટર મયંક અગ્રવાલને ડરહામ દ્વારા અંતિમ રાઉન્ડની મેચો માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે. 35 વર્ષીય ખેલાડી અગાઉ  યોર્કશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે.

ક્રિકેટર મયંક અગ્રવાલને ડરહામ દ્વારા અંતિમ રાઉન્ડની મેચો માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે. 35 વર્ષીય ખેલાડી અગાઉ યોર્કશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે.

3 / 5
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ બેડિંગહામના સ્થાને મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ બેડિંગહામના સ્થાને મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

4 / 5
મયંક અગ્રવાલે 2018 થી 2021 દરમિયાન ભારત માટે 21 ટેસ્ટ મેચોમાં 41.33 ની સરેરાશથી 1488 રન બનાવ્યા છે. અગ્રવાલે ચાર સદી પણ ફટકારી છે.

મયંક અગ્રવાલે 2018 થી 2021 દરમિયાન ભારત માટે 21 ટેસ્ટ મેચોમાં 41.33 ની સરેરાશથી 1488 રન બનાવ્યા છે. અગ્રવાલે ચાર સદી પણ ફટકારી છે.

5 / 5
મયંક અગ્રવાલે રણજી ટ્રોફીમાં કર્ણાટક માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં 42.37 ની સરેરાશથી 678 રન બનાવ્યા, જેમાં ફાઇનલમાં 160 રનનો સમાવેશ થાય છે. (PC-GETTY IMAGES)

મયંક અગ્રવાલે રણજી ટ્રોફીમાં કર્ણાટક માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં 42.37 ની સરેરાશથી 678 રન બનાવ્યા, જેમાં ફાઇનલમાં 160 રનનો સમાવેશ થાય છે. (PC-GETTY IMAGES)

Follow Us
Loading...
Unable to load recommendations.