
ICC એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ખાસ પ્રી-સેલ વિન્ડો પૂર્ણ થયા પછી, વેચાણનો બીજો રાઉન્ડ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં તમામ પ્રકારના ચાહકો ટિકિટ ખરીદી શકશે. તે 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે અને ટિકિટ આ લિંક - Tickets.cricketworldcup.com પરથી ખરીદી શકાય છે.

એટલું જ નહીં, ICC દ્વારા ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહની પણ જાહેરાત કરવામાં આવી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં બે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ પહેલા, એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર સિંગર શ્રેયા ઘોષાલ પોતાના ગીતો દ્વારા ચાહકોનું મનોરંજન કરશે.

વર્લ્ડ કપની વાત કરીએ તો, આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ટુર્નામેન્ટની ફાઇનલ 2 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપની મોટાભાગની મેચ ભારતમાં રમાશે, જ્યારે ફક્ત પાકિસ્તાની ટીમ શ્રીલંકામાં તેની મેચ રમશે. જો પાકિસ્તાન સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચે છે, તો તે મેચો પણ શ્રીલંકામાં રમાશે.

જો પાકિસ્તાન લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ જાય છે, તો ફાઇનલ ભારતમાં રમાશે. ભારત અને શ્રીલંકા ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.