ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનને લઈને ભારતના બે પૂર્વ ક્રિકેટરો સામ-સામે

|

Jan 31, 2024 | 1:59 PM

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલા સ્પિનર્સ અને કેટલા ફાસ્ટ બોલર હશે? આ અંગે બે દિગ્ગજ ક્રિકેટરોના મત અલગ-અલગ છે. ઈંગ્લેન્ડે 4 સ્પિનરોને રમવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. પરંતુ રોહિત શર્માના મગજમાં શું ચાલી રહ્યું છે?

1 / 5
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા બે મહાન ભૂતપૂર્વ ક્રિકેટરો સામ-સામે આવી ગયા છે. આ મુદ્દો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન સાથે જોડાયેલો છે. બંનેના અભિપ્રાયમાં સૌથી મોટો તફાવત ટીમની બોલિંગ લાઈન-અપને લઈને છે. આવી સ્થિતિમાં, રોહિત શર્માના મગજમાં શું ચાલી રહ્યું છે તે પણ પ્રશ્ન છે, કારણ કે પ્લેઈંગ ઈલેવન પર અંતિમ નિર્ણય તેનો જ રહેશે.

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા બે મહાન ભૂતપૂર્વ ક્રિકેટરો સામ-સામે આવી ગયા છે. આ મુદ્દો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન સાથે જોડાયેલો છે. બંનેના અભિપ્રાયમાં સૌથી મોટો તફાવત ટીમની બોલિંગ લાઈન-અપને લઈને છે. આવી સ્થિતિમાં, રોહિત શર્માના મગજમાં શું ચાલી રહ્યું છે તે પણ પ્રશ્ન છે, કારણ કે પ્લેઈંગ ઈલેવન પર અંતિમ નિર્ણય તેનો જ રહેશે.

2 / 5
વિશાખાપટ્ટનમની પીચની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડે 4 સ્પિનરોને રમવાનો સંકેત આપ્યો છે. જે બાદ ભારતે ચાર સ્પિનરોને રમાડવા જોઈએ કે નહીં એ અંગે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આખી લડાઈ ટીમ ઈન્ડિયાએ કેટલા સ્પિનરોને રમાડવા જોઈએ તે જ છે.

વિશાખાપટ્ટનમની પીચની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડે 4 સ્પિનરોને રમવાનો સંકેત આપ્યો છે. જે બાદ ભારતે ચાર સ્પિનરોને રમાડવા જોઈએ કે નહીં એ અંગે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આખી લડાઈ ટીમ ઈન્ડિયાએ કેટલા સ્પિનરોને રમાડવા જોઈએ તે જ છે.

3 / 5
ટીમ ઈન્ડિયાના બે ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીકાંત અને દેવાંગ ગાંધીનો વિખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11ને લઈ અલગ-અલગ અભિપ્રાય જોવા મળ્યો હતો. શ્રીકાંતનું કહેવું છે કે રોહિત શર્માએ 4 સ્પિનરો અને 1 ફાસ્ટ બોલર સાથે વિશાખાપટ્ટનમમાં પ્રવેશ કરવો જોઈએ. જ્યારે દેવાંગ ગાંધીનું કહેવું છે કે પીચ પર ગમે તેટલી મદદ મળે, 4 સ્પિનરોને રમવાનો વિચાર યોગ્ય નહીં હોય.

ટીમ ઈન્ડિયાના બે ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીકાંત અને દેવાંગ ગાંધીનો વિખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11ને લઈ અલગ-અલગ અભિપ્રાય જોવા મળ્યો હતો. શ્રીકાંતનું કહેવું છે કે રોહિત શર્માએ 4 સ્પિનરો અને 1 ફાસ્ટ બોલર સાથે વિશાખાપટ્ટનમમાં પ્રવેશ કરવો જોઈએ. જ્યારે દેવાંગ ગાંધીનું કહેવું છે કે પીચ પર ગમે તેટલી મદદ મળે, 4 સ્પિનરોને રમવાનો વિચાર યોગ્ય નહીં હોય.

4 / 5
શ્રીકાંતે TOI સાથે વાત કરતા કહ્યું કે જો ઈંગ્લેન્ડ 4 સ્પિનરો સાથે રમી શકે છે તો ભારત કેમ નહીં? મને લાગે છે કે પીચની પ્રકૃતિને જોતા ભારતે 4 સ્પિનરો સાથે રમવું જોઈએ. શ્રીકાંતના મતે ભારતે હૈદરાબાદ ટેસ્ટમાં કંઈ ન કરી શકનાર સિરાજની જગ્યાએ કુલદીપ યાદવ અને ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક આપવી જોઈએ. આ સિવાય બે સ્પિનરો અશ્વિન અને અક્ષર પટેલના રૂપમાં ટીમ સાથે પહેલાથી જ છે.

શ્રીકાંતે TOI સાથે વાત કરતા કહ્યું કે જો ઈંગ્લેન્ડ 4 સ્પિનરો સાથે રમી શકે છે તો ભારત કેમ નહીં? મને લાગે છે કે પીચની પ્રકૃતિને જોતા ભારતે 4 સ્પિનરો સાથે રમવું જોઈએ. શ્રીકાંતના મતે ભારતે હૈદરાબાદ ટેસ્ટમાં કંઈ ન કરી શકનાર સિરાજની જગ્યાએ કુલદીપ યાદવ અને ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક આપવી જોઈએ. આ સિવાય બે સ્પિનરો અશ્વિન અને અક્ષર પટેલના રૂપમાં ટીમ સાથે પહેલાથી જ છે.

5 / 5
બીજી તરફ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દેવાંગ ગાંધીનો મત થોડો અલગ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હું વિખાપટ્ટનમની પિચને જાણું છું, તેના પર રિવર્સ સ્વિંગ હશે. આવી સ્થિતિમાં, મને લાગે છે કે 4 સ્પિનરો સાથે જવાની ભારતની ફોર્મ્યુલા યોગ્ય રહેશે નહીં. મારા મતે ટીમમાં એક જ ફેરફાર થવો જોઈએ, રવીન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવને રમાડવો જોઈએ. બાકીના બે ઝડપી બોલર બુમરાહ અને સિરાજ ટીમ સાથે રહે તો સારું રહેશે.

બીજી તરફ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દેવાંગ ગાંધીનો મત થોડો અલગ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હું વિખાપટ્ટનમની પિચને જાણું છું, તેના પર રિવર્સ સ્વિંગ હશે. આવી સ્થિતિમાં, મને લાગે છે કે 4 સ્પિનરો સાથે જવાની ભારતની ફોર્મ્યુલા યોગ્ય રહેશે નહીં. મારા મતે ટીમમાં એક જ ફેરફાર થવો જોઈએ, રવીન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવને રમાડવો જોઈએ. બાકીના બે ઝડપી બોલર બુમરાહ અને સિરાજ ટીમ સાથે રહે તો સારું રહેશે.

Next Photo Gallery