
પલાશ મુચ્છલે ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ માટે શુભકામના પણ આપી છે. તેમણે કહ્યું મારી શુભકામના ભારતીય કેપ્ટન હરમનપ્રી કૌર અને સ્મૃતિ મંધાના સાથે છે. અમે હંમેશા ઈચ્છીએ કે, ભારતીય ક્રિકેટ ટીમ દરેક મેચ જીતે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને આ મેચ જીતવી ખુબ જરુરી છે.

સ્મૃતિ મંધાના ભારતીય ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટમાં રમી ચૂકી છે. તેમણે અત્યારસુધી ભારત માટે 7 ટેસ્ટમાં 629 રન, 112 વનડે મેચ 5022 રન અને 153 રટી20 ઈન્ટરનેશનલ મેચમાં કુલ 3982 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામે કુલ 16 અડધી સદી પણ છે.

મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમે અત્યારસુધી કુલ 4 મેચ રમી છે. જેમાંથી 2માં જીત મેળવી છે અને 2 મેચમાં હાર મળી છે. હાલમાં તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
Published On - 9:56 am, Sun, 19 October 25