
રિપોર્ટમાં BCCIના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સેમસન હવે લગભગ 5-6 અઠવાડિયાથી ક્રિકેટ એક્શનથી દૂર છે. તે તિરુવનંતપુરમમાં પોતાના ઘરે પરત ફર્યો છે અને ટૂંક સમયમાં બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લેશે. અહીં તે મેડિકલ ટીમની દેખરેખમાં ઈજા પર કામ કરશે અને ત્યાંથી પરવાનગી મળ્યા બાદ જ તે ક્રિકેટમાં પરત ફરી શકશે. આ ઈજાની અસર એ છે કે સેમસન હવે 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં કેરળ માટે મેદાનમાં ઉતરી શકશે નહીં.

એટલું જ નહીં, ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મેળવવાની તેની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સેમસનને આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ન હતું, પરંતુ વિકેટકીપર રિષભ પંત અથવા કેએલ રાહુલને ઈજા થવાના કિસ્સામાં, સેમસન બેકઅપ કીપર હતો. હવે જો તેની ઈજા ગંભીર હશે તો સેમસનને તક નહીં મળે. જો કે, સેમસન અને રાજસ્થાન રોયલ્સ માટે રાહતની વાત એ છે કે IPL 2025ની સિઝન પહેલા સંજુના સંપૂર્ણ સ્વસ્થ થવાની અપેક્ષા છે. (All Photo Credit : PTI)
Published On - 7:35 pm, Mon, 3 February 25