
છેલ્લી વખત 2019ના વર્લ્ડ કપમાં પણ આવું બન્યું હતું. માન્ચેસ્ટરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચના પહેલા દિવસે વરસાદ પડ્યો હતો. જે બાદ બીજા દિવસે મેચ પૂર્ણ થઈ હતી. ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

જો કોલકાતામાં રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ નહીં થાય તો દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પહોંચી જશે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા કરતાં તેની સારી સ્થિતિને કારણે તેને ફાઈનલ મેચમાં સ્થાન મળશે. જો કે, અમ્પાયર ઈચ્છે છે કે તે પહેલા મેચ કોઈક રીતે પૂર્ણ થઈ જાય. જો સાઉથ આફ્રિકાના દાવ બાદ ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સમાં 20 ઓવર રમાશે તો ડકવર્થ-લુઇસ નિયમના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.