
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે PCBએ આ નિર્ણયને લઈને ગિલેસ્પીની કોઈ સલાહ લીધી ન હતી અને તેને તેની જાણ પણ કરવામાં આવી ન હતી, જેના કારણે ગિલેસ્પી નાખુશ છે. આવી સ્થિતિમાં, તે પણ હવે પાકિસ્તાની ટીમ સાથે કોચ તરીકે ચાલુ રાખવાની સંભાવના પર વિચાર કરી રહ્યો છે, ગયા મહિને જ એવા અહેવાલો આવ્યા હતા કે પાકિસ્તાની બોર્ડ ગિલેસ્પીને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારપછી એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયામાં વનડે અને T20 સિરીઝ પૂરી થતાં જ તેને બહાર કરી દેવામાં આવશે.

ODI-T20 કોચ ગેરી કર્સ્ટનના રાજીનામા બાદ PCBએ ગિલેસ્પીને આ સિરીઝમાં પણ કોચ તરીકે રહેવા માટે મનાવી લીધો હતો, જોકે તે માત્ર ટેસ્ટ ટીમનો કોચ છે. જોકે PCBએ પાછળથી ગિલેસ્પીને હટાવવાના દાવાને નકારી કાઢ્યા હતા. માત્ર એટલું જ કહ્યું હતું કે તે દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટેસ્ટ શ્રેણીમાં કોચ તરીકે રહેશે. ગિલેસ્પીને PCBએ આ વર્ષે એપ્રિલમાં કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.
Published On - 6:01 pm, Thu, 12 December 24