
તમને જણાવી દઈએ કે,પુરનના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. સોશિયલ મીડિયા પર રિએક્શન પણ આપી રહ્યા છે. કેટલાક ચાહકોનું કહેવું છે કે, પુરનનો આ નિર્ણય પૈસાના કારણે લીધો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટના મુકાબલે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં તેને વધારે પૈસા મળે છે.

નિકોલસ પુરને સંન્યાસની જાહેરાત કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું મે ખુબ સમજી વિચારીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. આ રમતને આપણે પ્રેમ કરીએ છીએ. આને મને ઘણું બધુ આપ્યું છે.ખુશી ,ઉદ્દેશ્ય, અનેક યાદો અને વેસ્ટઈન્ડિઝ ટીમનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી. આ બધું શબ્દોમાં કહેવું મુશ્કેલ છે.

ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં તેની કમાણી અનેક ગણી વધારે છે. ઉદાહરણ તરીકે, IPL 2025 માં, લખનૌ સુપર જાયન્ટ્સે તેને 21 કરોડ રૂપિયાની મોટી રકમમાં રિટેન કર્યો હતો. આ રકમ એક સીઝન માટે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, આટલી કમાણી કરવા માટે તેને ઘણા વર્ષો સુધી રમવું પડ્યું હોત.