
વર્લ્ડ કપ અને પીચ: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતી હતી. જે બાદ પાકિસ્તાન સહિત અન્ય વિદેશી મીડિયાએ આરોપ લગાવ્યો કે પિચ ટીમ ઈન્ડિયાની પસંદગી મુજબ તૈયાર કરવામાં આવી હતી. ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ પહેલા આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. સેમિફાઈનલના એક દિવસ પહેલા એક બ્રિટિશ અખબારે અહેવાલ આપ્યો કે ભારતીય ટીમ મેનેજમેન્ટના કહેવા પર વાનખેડેમાં પિચ બદલવામાં આવી હતી. આ અંગે ભારે હોબાળો થયો.

ગંભીર Vs શ્રીસંત: વર્ષના છેલ્લા મહિનામાં પણ મેદાન પર લડાઈને લઈ વિવાદ થયો. ફરી એકવાર આ ઝઘડાના મૂળમાં ગૌતમ ગંભીર અને તેની સામે વિવાદોનો પર્યાય એસ શ્રીસંત. IPL વિવાદના સાત મહિના પછી, ગંભીરનો ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સાથી એસ શ્રીસંત સાથે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં વિવાદ થયો હતો.