
હરમનપ્રીત કૌરે કહ્યું કે, અમે બધા ખેલાડીઓ એકબીજાને ખુબ મિસ કરીએ છીએ. જ્યારે સીરિઝ કે ટૂર્નામેન્ટ પૂર્ણ થવાની હોય છે. તો અમે વિચાર કરતા હોઈએ છીએ કે, અમારી મુલાકાત હવે ક્યારે થશે. કઈ સીરિઝમાં થશે.

તમને જણાવી દઈએ કે,મહિલા ક્રિકેટ ટીમમાં હજુ કોઈ પણ ખેલાડીએ લગ્ન કર્યા નથી. ત્યારે એવા રિપોર્ટ છે કે, 23 નવેમ્બરના રોજ સ્મૃતિ મંધાના અને પલાશ લગ્નના બંધનમાં બંધાય શકે છે. જેથી સ્મૃતિ મંધાના પહેલી એવી મહિલા ક્રિકેટર હશે જે લગ્નના બંધનમાં બંધાશે.

સ્મૃતિ મંધાના માટે આ મોટી વાત હશે કે, તે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ લગ્નના બંધનમાં બંધાશે.ભારતમાં રમાયેલા મહિલા વનડે વર્લ્ડકપમાં સ્મૃતિ મંધાના બીજી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતી.ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં ખુબ મોટી ભૂમિકા નિભાવી હતી.