સાંઈ સુદર્શન, જિતેશ શર્મા અને હર્ષિત રાણાને સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલના વિકલ્પ હેઠળ ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સીરિઝની શરુઆતની 2 મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારત 6 જુલાઈથી ઝિમ્બાબ્વેમાં 5 ટી20 સીરિઝ રમશે. ટી20 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમમાં સામેલ શિવમ દુબે, સંજુ સેમસન અને યશસ્વી જ્યસ્વાલને ઝિમ્બાબ્વે જનારી ટીમ સાથે જોડાવાનું હતુ પરંતુ વાવાઝોડું બેરિલના કારણે ટીમ બાર્બાડોસમાં ફસાઈ છે.
ભારતીય ટીમ આજે કે પછી 4 જુલાઈના રોજ ભારત પહોંચી શકે છે. દિલ્હી આવ્યા બાદ ટીમને નરેન્દ્ર મોદી સન્માનિત કરી તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.
ટી20 વર્લ્ડકપમાં ટીમ સાથે રિઝર્વ ખેલાડીના રુપમાં ફાસ્ટ બોલર ખલીલ અહમદ અને બેટ્સમેન રિંકુ સિંહ પણ હજુ બાર્બાડોસમાં ફસાયેલા છે. બસીસીઆઈએ આ બંન્નેના વિકલ્પની જાહેરાત કરી નથી. આ ખેલાડીઓ પણ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમનો ભાગ છે.
ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 સીરિઝની શરુઆતની 2 મેચ માટે અપટેડ ભારતીય ટીમ : શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્રોઈ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષારે દેશપાંડે, સાંઈ સુદર્શન, જિતેશ શર્મા, હર્ષિત રાણા