
કોલંબો ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર સરાંશ જૈને પોતાના પ્રથમ જ મુકાબલામાં ત્રણ વિકેટ લઈને ધ્યાન ખેંચ્યું છે. જોકે, તેના પ્રદર્શન દરમિયાન કેટલીક બાબતો એવી પણ જોવા મળી છે, જેના પર ટીમ મેનેજમેન્ટે ગંભીરતાથી કામ કરવું પડશે.

પહેલી ઇનિંગમાં સરાંશે બે વિકેટ લીધી હતી, પરંતુ તેની ઝડપી બોલિંગના કારણે તેને અપેક્ષિત ટર્ન મળ્યો નહોતો. શ્રીલંકાના બેટ્સમેનોએ તેનો ફાયદો ઉઠાવીને સરળતાથી રન બનાવ્યા હતા.

ચોથા દિવસે સરાંશે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો. તેણે બોલ થોડો ધીમો ફેંકવાની સાથે લેન્થ પણ આગળ રાખી, જેના કારણે તેને વધુ ટર્ન મળ્યો અને તેણે વધુ એક વિકેટ ઝડપી.

જોકે, સરાંશના રન-અપે ટીમની ચિંતા વધારી છે. તેણે ટેસ્ટમાં કુલ છ નો-બોલ ફેંક્યા હતા. સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ પણ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે અને તેના પર કામ કરવાની વાત કહી છે.

સરાંશ માટે હવે માત્ર બોલિંગ જ નહીં, પરંતુ બેટિંગમાં પણ પોતાને સાબિત કરવું જરૂરી રહેશે. જો તે પોતાની ખામીઓમાં સુધારો કરશે તો ટીમમાં સ્થાન જાળવી શકે છે, પરંતુ સતત આવી ભૂલો થશે તો આગામી મેચોમાં તેને તક મળશે કે નહીં તે સવાલ બની શકે છે. (PC:PTI/X)
Published On - 9:29 pm, Wed, 26 August 26