
વરુણ ચક્રવર્તીએ ટી20 સીરિઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચમાં 14 વિકેટ લીધી હતી. તેને તક આપવા માટે, કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. જે લાંબા ઈજાના વિરામને કારણે ટીમ ઈન્ડિયાની બહાર હતો.

આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ વાપસી કરી રહ્યો છે. તે ઈજાના કારણે સીરિઝની પહેલી મેચ રમી શક્યો ન હતો. ત્યારે પ્લેઈંગ 11માં સામેલ કરવાને કારણે વધુ એક બદલાવ કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીની વાપસીના કારણે યશસ્વી જ્યસ્વાલ પ્લેઈંગ 11થી બહાર થયો છે. તે સીરિઝની પહેલી મેચમાં માત્ર 15 રન બનાવી શક્યો હતો.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.