
યશસ્વી અને પંત સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા નહોતા, જેનું એક મોટું કારણ હતું કે ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટ ન તો જીતી શકી કે ન તો ડ્રો કરી શકી.

રોહિત શર્માએ 9 રન અને વિરાટ કોહલીએ 5 રન બનાવ્યા હતા. કેએલ રાહુલને સતત બીજી ઈનિંગમાં નિષ્ફળ જતા જોઈને લાગે છે કે તેને નંબર 3 પર રમવાનો ભારતીય ટીમ મેનેજમેન્ટનો નિર્ણય ખોટો હતો.

જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ 9 વિકેટ લીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને નાથન લિયોને 6-6 વિકેટ લીધી હતી.

આ હાર સાથે ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-2થી પાછળ રહી ગઈ છે. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં 3 જાન્યુઆરી 2025થી રમાશે.