
ક્રિકેટમાં જર્સી નંબર ખેલાડીઓની અનન્ય ઓળખ માટે મહત્વપૂર્ણ છે, જેનાથી ચાહકો, કોમેન્ટેટર્સ, અમ્પાયર્સ અને ટીવી કેમેરા તેમને સરળતાથી ઓળખી શકે છે. તે એક બ્રાન્ડિંગ સાધન છે અને એક જ ટીમમાં સમાન નામ ધરાવતા ખેલાડીઓ વચ્ચે મૂંઝવણ દુર કરે છે.

મેદાન પરના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને કોમેન્ટેટર્સ માટે ખેલાડીઓને તેમના નામ કરતાં તેમના જર્સી નંબર દ્વારા ઓળખવાનું સરળ બને છે. કેટલાક ખેલાડીઓની જર્સી નંબર ઓળખ બની જાય છે (જેમ કે સચિનના 10, રોહિતના 45), જે ચાહકો માટે તે ખેલાડીની યાદોને તાજી કરે છે.

ક્રિકેટ ચાહકો આઈપીએલ 2026ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેચ દરમિયાન ચાહકોની નજર ટીવી અને સ્કિન પર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, મેચ દરમિયાન ખેલાડીઓ જે જર્સી પહેરે છે. તેની પાછળ લખેલા નંબર તેને કઈ રીતે મળે છે, આને લઈ નિયમ શું છે.ક્રિકેટના મેદાન પર જર્સીનો નંબર ખેલાડીઓની ઓળખ હોય છે.

જોકે BCCI કે ICC સીધા નંબર ફાળવતા નથી, નિયમો મુજબ, કોઈપણ બે ખેલાડીઓનો પ્લેઇંગ ઇલેવનમાં એક જ સમયે એક જ નંબર હોવો જોઈએ નહીં.

પહેલાના સમયમાં સ્કોરબોર્ડ મુખ્યત્વે મેન્યુઅલ હતા, જે લાકડા અથવા ધાતુના બનેલા હતા. સ્કોર, વિકેટ અને ઓવર મેન્યુઅલી આંકડાકીય કાર્ડ અથવા પ્લેટો ફેરવીને પ્રદર્શિત કરવામાં આવતા હતા. આનું સંચાલન વિશિષ્ટ ઓપરેટરો દ્વારા કરવામાં આવતું હતું જેઓ પેન-અને-કાગળના સ્કોરકાર્ડના આધારે લાઇવ સ્કોર અપડેટ કરતા હતા.

તમને જણાવી દઈએ કે, પહેલાના સમયમાં ન્યુઝપેપરમાં સમાચારમાં ક્રિકેટરોના ફોટો છાપવામાં આવતા ન હતા.

ખેલાડીઓને તેના જર્સી નંબરથી ઓળખવામાં આવતા હતા. આ જર્સી નંબરના આધારે સ્કોરબોર્ડમાં ફેરફાર થતાં હતા. જેમ કે કોઈ બોલર વિકેટ લે તો તેના જર્સી નંબર જાણીને સ્કોર્ડબોર્ડ મેનેજ કરવામાં આવતું હતુ. (ALL PHOTO : PTI)
Published On - 11:45 am, Thu, 19 March 26