
હર્ષલ પટેલને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ તેની બહેનના મૃત્યુની માહિતી મળી હતી. તે ઘરે ગયો તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટીમની સાત વિકેટે જીતમાં બે વિકેટ ઝડપી હતી.બહેનને યાદ કરીને હર્ષલ પટેલ થયો ભાવુક થયો હતો અને સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતુ.તેની બહેનનું 2022માં નિધન થયું હતુ.

હર્ષલ પટેલનો જર્સી નંબર 73,13 છે.એચ.એ કોલેજ ઓફ કોમર્સ અમદાવાદમાંથી તેણે અભ્યાસ કર્યો છે.

તે પાટીદાર પરિવારમાંથી આવે છે.બાળપણમાં તેને ક્રિકેટનો ઘણો શોખ હતો. તેની મહેનત કારણે તે આજના સમયમાં એક ઉત્તમ ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે.

સાણંદના ગુજરાતી પરિવારમાં જન્મેલા ખેલાડી હર્ષલ પટેલને પંજાબે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, 11.75 કરોડમાં ખરીદેલો આ સ્ટાર ખેલાડીનું આઈપીએલમાં કેવું પ્રદર્શન રહે છે.