
જાડેજાનો પૈસાના આવકનો સ્ત્રોત ક્રિકેટ કોમેન્ટ્રીની સાથે કોચિંગ પણ છે પરંતુ હવે જામ સાહેબ બન્યા બાદ બધું જ બદલી ગયું છે.જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ એક પ્રેસ રિલીઝ કરી આની જાણકારી આપી હતી.

જો આપણે અજય જાડેજાના કરિયરની વાત કરીએ તો અજય જાડેજાએ ભારત માટે 15 ટેસ્ટ અને 196 વનડે મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં 576 રન જ્યારે વનડેમાં તેના નામે 5359 રન સામેલ છે. જેમાં 6 સદી અને 30 અડધી સદી સામેલ છે. ફિક્સિંગ કાંડમાં અજય જાડેજાનું નામ આવતા કરિયર પૂર્ણ થયું હતુ.

અજય જાડેજાના નેટવર્થની વાત કરીએ તો હવે તેમની નેટવર્થ 1450 કરોડ થઈ ગઈ છે. વિરાટ કોહલીની કુલ નેટવર્થ 1000 કરોડ છે. આ પહેલા અજય જાડેજાની કુલ નેટવર્થ 250 કરોડ પહોંચી ગઈ હતી.