
T20 વર્લ્ડ કપ પહેલા શ્રીધર શ્રીલંકાની ટીમ સાથે બે મહત્વપૂર્ણ વિદેશી પ્રવાસો પર કામ કરશે. પહેલા તે પાકિસ્તાનમાં T20 શ્રેણી માટે શ્રીલંકાના કોચિંગ સ્ટાફનો ભાગ બનશે, અને પછી તે ટીમને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે તૈયાર કરશે, ત્યારબાદ તે વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ બનશે.

55 વર્ષીય હૈદરાબાદનો ભૂતપૂર્વ સ્પિનર શ્રીધર લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફનો સભ્ય હતો. તેને સૌપ્રથમ 2014માં ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે રવિ શાસ્ત્રીના સ્ટાફનો ભાગ બન્યો અને 2021 સુધી ફિલ્ડિંગ કોચ રહ્યો. (PC: Getty Images/SLC)
Published On - 5:23 pm, Wed, 17 December 25