
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના અલગ થવાના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાયેલા છે. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે, જ્યારે ચહલે ધનશ્રીનો ફોટો પણ હટાવી દીધો છે, જેનાથી છૂટાછેડાની અટકળોને વેગ મળ્યો છે.

ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને ટુંક સમયમાં છુટાછેડા લેશે. આ ચર્ચા સામે આવ્યા બાદ ચહલ અને ધનશ્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી રહ્યા છે.

હાલમાં ધનશ્રી વર્માએ સ્ટોરી પોસ્ટ કરી હતી. હવે ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જવાબ આપ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ચહલ અને ધનશ્રી બંન્ને ટુંક સમયમાં અલગ થઈ શકે છે.

આ દરમિયાન ચહલે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. તેણે લખ્યું, હું મારા ચાહકોનો તેમના પ્રેમ અને સમર્થન માટે આભારી છું જેના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત.

પરંતુ આ પ્રવાસ હજુ પૂરો થયો નથી કારણ કે મારી પાસે મારો દેશ, ટીમ અને ચાહકો માટે બોલિંગ કરવા માટે ઘણી વધુ ઓવર બાકી છે. મને એક ખેલાડી હોવાનો ગર્વ છે, પરંતુ હું એક પુત્ર, ભાઈ અને મિત્ર પણ છું.

હું તાજેતરની ઘટના વિશે લોકોની ઉત્સુકતાને સમજું છું, ખાસ કરીને મારી પર્સનલ લાઈફ વિશેના સમાચારો. મેં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોય છે જે ચર્ચા ઉભી કરે છે જે સાચી હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે. ચહલે આગળ કહ્યું એક દીકરો, ભાઈ અને મિત્ર હોવાને કારણે હું તમામ લોકોને આગ્રહ કરું છું કે, આ ચર્ચાઓને જુઓ નહિ. કારણ કે, મને અને મારા પરિવારને દુખ પહોંચી રહ્યું છે.

મેં હંમેશા શોર્ટકટને બદલે સમર્પણ અને મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરવાનું શીખ્યું છે. હું સહાનુભૂતિ નહીં પણ તમારો પ્રેમ અને સમર્થન મેળવવાનો હંમેશા પ્રયત્ન કરીશ.