
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહેતા એવી ચર્ચા થઈ રહી છે કે, શું ટીમ ઈન્ડિયા ડબલ્યુટીસી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તો તમને જણાવી દઈએ કે, ભારત હજુ પણ રેસમાં છે. જો તેમણે છેલ્લી 2 ટેસ્ટ પોતાના નામે કરી લીધી તો કોઈ મુશ્કેલી વગર ફાઈનલમાં પહોંચી જશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો થવાથી સાઉથ આફ્રિકાને સૌથી વધુ ફાયદો થયો છે. કારણ કે ,આ ટીમ હજુ પણ નંબર વન પર યથાવત છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ સ્થાને છે.

ભારતીય ટીમ ડબલ્યુટીસીની ફાઈનલમાં પહોચવાની શક્યતા રહેલી છે. આ સીરિઝ બાદ બાકી રહેલી 2 મેચ ખુબ મહત્વની રહેશે. કારણ કે, આ મેચ નક્કી કરશે કે, ભારત અને ઓસ્ટ્રેલિયામાં કઈ ટીમ ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરે છે.
Published On - 1:15 pm, Wed, 18 December 24