Breaking News: ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ નવી ટીમમાં જોડાયો આ ખેલાડી, પાડોશી દેશની લીગમાં રમવાનો લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી, જો કે નિવૃત્તિના ચાર જ દિવસમાં તેણે પાડોશી દેશની ક્રિકેટ લીગમાં રમવાની મોટો નિર્ણય લીધી છે. હવે આ ખેલાડી નવી ટીમ માટે રમશે.

| Updated on: May 26, 2026 | 8:17 PM
1 / 5
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર લંકા પ્રીમિયર લીગમાં રમશે. શંકરે 22 મેના રોજ ભારતીય ઘરેલુ ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે તે વિદેશી લીગમાં રમશે. શંકર લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી રોયલ્સ તરફથી રમશે.

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર લંકા પ્રીમિયર લીગમાં રમશે. શંકરે 22 મેના રોજ ભારતીય ઘરેલુ ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે તે વિદેશી લીગમાં રમશે. શંકર લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી રોયલ્સ તરફથી રમશે.

2 / 5
શ્રીલંકા પ્રીમિયર લીગમાં ખૂબ જ ઓછા ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો છે. તેમાં ઈરફાન પઠાણ, મુનાફ પટેલ, સુદીપ ત્યાગી અને મનપ્રીત ગોનીનો સમાવેશ થાય છે. હવે, વિજય શંકર પણ આ યાદીમાં જોડાયા છે.

શ્રીલંકા પ્રીમિયર લીગમાં ખૂબ જ ઓછા ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો છે. તેમાં ઈરફાન પઠાણ, મુનાફ પટેલ, સુદીપ ત્યાગી અને મનપ્રીત ગોનીનો સમાવેશ થાય છે. હવે, વિજય શંકર પણ આ યાદીમાં જોડાયા છે.

3 / 5
વિજય શંકરને લીગ ક્રિકેટમાં ઘણો અનુભવ છે, જેમાં IPLનો પણ સમાવેશ થાય છે. તેણે 2014 માં IPL માં પ્રવેશ કર્યો હતો અને તે ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ માટે રમી ચૂક્યો છે.

વિજય શંકરને લીગ ક્રિકેટમાં ઘણો અનુભવ છે, જેમાં IPLનો પણ સમાવેશ થાય છે. તેણે 2014 માં IPL માં પ્રવેશ કર્યો હતો અને તે ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ માટે રમી ચૂક્યો છે.

4 / 5
વિજય શંકરે 78 IPL મેચોમાં 26.33 ની બેટિંગ એવરેજ સાથે 1,233 રન બનાવ્યા છે. તેણે સાત અડધી સદી ફટકારી અને નવ વિકેટ ઝડપી છે.

વિજય શંકરે 78 IPL મેચોમાં 26.33 ની બેટિંગ એવરેજ સાથે 1,233 રન બનાવ્યા છે. તેણે સાત અડધી સદી ફટકારી અને નવ વિકેટ ઝડપી છે.

5 / 5
વિજય શંકરે ભારત માટે 12 વનડેમાં 31.8 ની સરેરાશથી 223 રન બનાવ્યા છે. તેણે નવ T20 મેચમાં 25 થી વધુની સરેરાશથી 101 રન પણ બનાવ્યા છે. શંકરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 13 અને લિસ્ટ A માં બે સદી ફટકારી છે. (PC: PTI)

વિજય શંકરે ભારત માટે 12 વનડેમાં 31.8 ની સરેરાશથી 223 રન બનાવ્યા છે. તેણે નવ T20 મેચમાં 25 થી વધુની સરેરાશથી 101 રન પણ બનાવ્યા છે. શંકરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 13 અને લિસ્ટ A માં બે સદી ફટકારી છે. (PC: PTI)

Follow Us