IND vs SL: શ્રીલંકામાં 33 વર્ષ બાદ બની આવી ઘટના, કોલંબોમાં આ ખેલાડીએ પોતાના જ પગ પર મારી કુહાડી

કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાના એક બેટ્સમેન માટે બધું બરાબર ચાલી રહ્યું હતું અને તે મોટી ઇનિંગ તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ સદીથી થોડા જ રન દૂર પહોંચ્યા બાદ તેની એક ભૂલે આખી મહેનત પર પાણી ફેરવી દીધું. 92 રને આઉટ થતાં જ તે માત્ર 8 રન માટે સદી ચૂક્યો અને 33 વર્ષ બાદ શ્રીલંકામાં આવી ઘટના બની હતી.

| Updated on: Aug 26, 2026 | 5:25 PM
1 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચેની કોલંબો ટેસ્ટમાં પાસિન્દુ સૂર્યબંદારાએ શાનદાર બેટિંગ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. જોકે, બંને ઇનિંગમાં તે સદી સુધી પહોંચી શક્યો નહોતો.

ભારત અને શ્રીલંકા વચ્ચેની કોલંબો ટેસ્ટમાં પાસિન્દુ સૂર્યબંદારાએ શાનદાર બેટિંગ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. જોકે, બંને ઇનિંગમાં તે સદી સુધી પહોંચી શક્યો નહોતો.

2 / 5
બીજી ઇનિંગમાં સૂર્યબંદારા 92 રન પર બેટિંગ કરી રહ્યો હતો. માનવ સુથારના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં તેણે વિકેટ ગુમાવી દીધી. તે સ્ટમ્પ આઉટ થયો અને માત્ર 8 રનથી સદી ચૂકી ગયો.

બીજી ઇનિંગમાં સૂર્યબંદારા 92 રન પર બેટિંગ કરી રહ્યો હતો. માનવ સુથારના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં તેણે વિકેટ ગુમાવી દીધી. તે સ્ટમ્પ આઉટ થયો અને માત્ર 8 રનથી સદી ચૂકી ગયો.

3 / 5
સૂર્યબંદારાની આ વિકેટ સાથે 1993ની એક ઘટના યાદ આવી ગઈ. તે સમયે શ્રીલંકાનો દિગ્ગજ અરવિંદા ડી સિલ્વા કોલંબોના SSC ગ્રાઉન્ડ પર 93 રને આઉટ થયો હતો અને નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે.

સૂર્યબંદારાની આ વિકેટ સાથે 1993ની એક ઘટના યાદ આવી ગઈ. તે સમયે શ્રીલંકાનો દિગ્ગજ અરવિંદા ડી સિલ્વા કોલંબોના SSC ગ્રાઉન્ડ પર 93 રને આઉટ થયો હતો અને નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે.

4 / 5
આ રીતે 33 વર્ષ બાદ શ્રીલંકાના કોઈ બેટ્સમેનને કોલંબોના આ મેદાન પર સદીથી નજીક પહોંચીને વિકેટ ગુમાવવી પડી છે. સૂર્યબંદારા માટે આ નિરાશાજનક ક્ષણ રહી.

આ રીતે 33 વર્ષ બાદ શ્રીલંકાના કોઈ બેટ્સમેનને કોલંબોના આ મેદાન પર સદીથી નજીક પહોંચીને વિકેટ ગુમાવવી પડી છે. સૂર્યબંદારા માટે આ નિરાશાજનક ક્ષણ રહી.

5 / 5
સૂર્યબંદારા પહેલા શ્રીલંકાના રોય ડાયસ, રવિ રત્નાયકે, મારવાન અટાપટ્ટુ, એન્જેલો મેથ્યુસ અને દિમુથ કરુણારત્ને પણ ભારત સામે નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા છે. (PC:PTI)

સૂર્યબંદારા પહેલા શ્રીલંકાના રોય ડાયસ, રવિ રત્નાયકે, મારવાન અટાપટ્ટુ, એન્જેલો મેથ્યુસ અને દિમુથ કરુણારત્ને પણ ભારત સામે નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા છે. (PC:PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.