
ટીમ ઈન્ડિયાએ હવે ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝ રમવાની છે. T20 શ્રેણીમાં કુલ પાંચ મેચ રમાશે. આ શ્રેણીની તૈયારી માટે તમામ ખેલાડીઓને કોલકાતા બોલાવવામાં આવ્યા છે. દરેકને 18 જાન્યુઆરીએ ઈડન ગાર્ડન્સ ખાતે રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કોલકાતામાં ત્રણ દિવસ પ્રેક્ટિસ કરશે અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણી 22 જાન્યુઆરીથી શરૂ થશે.

ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ પહેલા BCCIએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, BCCIએ ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં છઠ્ઠા સભ્યનો ઉમેરો કર્યો છે. સિતાંશુ કોટકને ટીમ ઈન્ડિયાનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ ટીમમાં કોઈ બેટિંગ કોચ નહોતો. અભિષેક નાયર અને ટેન દેશકાથે ટીમમાં આસિસ્ટન્ટ કોચ પદ પર છે, તેમની ભૂમિકા શું છે તે હજુ સુધી સમજાયું નથી. આ સિવાય મોર્ને મોર્કેલ બોલિંગ કોચ છે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ છે. (All Photo Credit : PTI)