
આ પહેલા BCCIએ જે કહ્યું તેનાથી શમીની કારકિર્દી પર સવાલો ઉભા થયા છે. મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યા બાદ એવી આશા હતી કે શમી વિજય હજારે વનડે ટૂર્નામેન્ટમાં પણ રમશે પરંતુ બંગાળ ક્રિકેટ એસોસિએશને તેને પ્રથમ બે મેચમાંથી આરામ આપ્યો હતો. હવે બોર્ડે કહ્યું કે શમીનું આ ટૂર્નામેન્ટમાં રમવું તેના ઘૂંટણની સમસ્યામાં સુધારા પર જ નિર્ભર રહેશે. મતલબ કે જો તેની ફિટનેસ આ રીતે જ ચાલુ રહેશે તો શમી આખી ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. બોર્ડે કહ્યું છે કે તે મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે અને બોલિંગમાં જરૂરી વર્કલોડ પર પણ કામ કરશે.

આનાથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમીની પસંદગી પર પણ અસર પડી શકે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણી રમવાની છે અને ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમાશે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં શમીના શાનદાર પ્રદર્શનને જોતા એવી આશા હતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ કરશે, પરંતુ તેની હાલની ફિટનેસને જોતા હવે ટીમ ઈન્ડિયામાં તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે. (All Photo Credit : PTI / Getty)
Published On - 6:47 pm, Mon, 23 December 24