
બાબર આઝમે ગત્ત વર્ષ વનડે વર્લ્ડ કપથી પાકિસ્તાન બહાર થઈ જતાં કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું હતુ. ત્યારથી તેમણે કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે દરમિયાન તેમની કેપ્ટનશીપ છોડવાનું કારણ વધુ હતુ કે, પીસીબી તરફથી દરેક ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની વાત થઈ રહી હતી. જ્યારે બાબર ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ ઈચ્છતો હતો.

ન્યુઝીલેન્ડની ટીમ 5 ટી20ની સીરિઝ માટે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રવાસે આવી રહી છે. આ સીરિઝની પહેલી 3 મેચ રાવલપિંડીમાં રમાશે. જ્યારે છેલ્લી 2 મેચ લાહૌરમાં રમાશે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બન્યો છે.