
અજિંક્ય રહાણેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે BCCI, ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ, પત્ની અને ચાહકોનો આભાર માન્યો હતો.

અજિંક્ય રહાણેની નિવૃત્તિ બાદ અનેક ફેન્સના મનમાં એ સવાલ થયો હશે કે શું રહાણેને નિવૃત્તિ બાદ BCCI તરફથી પેન્શન મળશે? તો એનો જવાબ છે 'હા'.

રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ મેચ રમી છે. BCCIની નિવૃત્તિ પેન્શન યોજનાના નિયમો મુજબ 25 કે તેથી વધુ ટેસ્ટ રમનાર ભૂતપૂર્વ ક્રિકેટરને દર મહિને ₹70,000નું આજીવન પેન્શન મળે છે.

આ નિયમ પ્રમાણે રહાણે BCCIના સૌથી ઊંચા પેન્શન બ્રેકેટમાં આવે છે. એટલે તેને દર મહિને ₹70 હજારનું પેન્શન મળવા પાત્ર છે. આ પેન્શન માટે BCCIની પેન્શન યોજના હેઠળ મળશે.

રહાણે મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ પણ રમી ચૂક્યો છે અને MCAની પેન્શન યોજના માટે પણ લાયક બની શકે છે. જોકે, BCCI અને રાજ્ય ક્રિકેટ એસોસિયેશન બંને તરફથી એકસાથે પેન્શન લઈ શકાતું નથી. ખેલાડીએ એક યોજના પસંદ કરવી પડે છે.

જો ભવિષ્યમાં રહાણે BCCIમાં કોઈ પદ સંભાળે અથવા રાષ્ટ્રીય ટીમ સાથે કોઈ ભૂમિકામાં જોડાય, તો તે સમયગાળા દરમિયાન પેન્શન અટકી શકે છે. જોકે, કોમેન્ટ્રી, ક્રિકેટ વિશ્લેષણ કે IPL ફ્રેન્ચાઇઝી સાથેની ભૂમિકાથી પેન્શન પર અસર નહીં થાય. (PC:PTI/X/BCCI)