
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણેએ તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. એક વીડિયો મેસેજમાં રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ ભારતીય ક્રિકેટના તમામ લેવલ પરથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

પરંતુ નિવૃત્તિ છતાં પણ રહાણે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તે ટૂંક સમયમાં નવી T20 લીગ ETPL માં જોવા મળશે. રહાણેએ આ લીગમાં એક ટીમ સાથે કરાર કર્યો છે. આ લીગ યુરોપમાં યોજાઈ રહી છે.

રહાણે ટૂંક સમયમાં સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સમાં શરૂ થનારી T20 લીગમાં એમ્સ્ટરડેમ ફ્લેમ્સનો ભાગ બનશે. તેની સાથે સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ અને ટિમ ડેવિડ પણ જોડાશે.

પોતાના કરિયરમાં 308 T20 મેચ રમનાર રહાણે પહેલીવાર કોઈ વિદેશી T20 લીગમાં રમવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા અને IPL સિવાય તે ફક્ત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જ રમ્યો છે.

રહાણે આ લીગમાં એકમાત્ર ભારતીય ખેલાડી નથી, રવિચંદ્રન અશ્વિન પહેલાથી જ ETPLમાં જોડાઈ ચૂક્યો છે. તે ડબલિન ગાર્ડિયન્સ માટે રમશે, જે રાહુલ દ્રવિડની માલિકીની ટીમ છે, અને તે મેન્ટર તરીકે પણ સેવા આપશે. (PC: PTI)