
આ વિદાય કાર્યક્રમમાં અમરેલી મહેસુલી કર્મચારી મંડળ પ્રમુખ એચ.એમ વાળાએ જણાવ્યું હતું અમારી ટીમ દ્વારા વિદાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા જિલ્લાના તમામ મહેસુલી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષ 2023માં અમરેલી કલેકટર તરીકે અજય દહિયા હાજર થયા હતા. વર્ષ 2014ની બેંચના ગુજરાત કેડરના IAS અગાઉ પાલનપુર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

ઉપરાંત ભાવનગર ખાતે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવ્યા બાદ અમરેલી કલેકટર તરીકે હાજર થયા હતા. દિલ્હી મિકેનિકલ એંજીન્યરિંગ વિષય સાથે બી.ટેક.નો અભ્યાસ કર્યો હતો. આજે પંચમહાલ કલેકટર તરીકે બદલી કરવામાં આવી હતી.

અમરેલી કલેકટર અજય દહિયા 2 વર્ષ કરતા વધુ સમય સુધી સફળતા પૂર્વક ફરજ બજાવ્યા બાદ પંચમહાલ બદલી થતા મહેસુલ કર્મચારી મંડળ દ્વારા વિદાઈ અપાઈ હતી. All Photos and content Credits to Jaydev Kathi Amreli
Published On - 2:44 pm, Mon, 30 June 25