
ખાવાનો સોડા અને ગરમ પાણી - આ ઉપાય વંદાઓને દૂર કરવા માટે પણ અજમાવી શકાય છે. એક લીટર ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને 2 ચમચી ખાવાનો સોડા નાખીને સિંકમાં નાખો. સિંકમાં છુપાયેલા તમામ વંદાઓ મરી જશે. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને કોકરોચ પર સ્પ્રે પણ કરી શકાય છે.

તજ: આ રસોડાનો મસાલો કોકરોચને દૂર રાખવામાં અસરકારક છે. રસોડાના સ્લેબ પર તજનો પાઉડર લગાવો અથવા કોકરોચ રહેતા હોય તે જગ્યાઓ પર છંટકાવ કરો. કોકરોચ તેનાથી દૂર રહે છે.

તમાલપત્ર: તમાલપત્ર કોકરોચથી છુટકારો મેળવવામાં પણ ઉપયોગી થઈ શકે છે. પાણીમાં તમાલપત્ર નાખો અને તેને ઉકાળો. હવે આ તમાલપત્રના પાણીનો ઉપયોગ કોકરોચ પર છાંટવા માટે કરો. વંદો ઘરથી દૂર ભાગી જશે.

કોકરોચ માત્ર ખરાબ દેખાતા નથી પણ પોતાની સાથે ઘણી બધી ગંદકી પણ લઈને આવે છે જે વ્યક્તિને બીમાર કરી શકે છે. આવી સ્થિતિમાં, આ વંદાઓને ઘરમાંથી હંમેશા માટે દૂર કરવા અને મારવા માટે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકાય છે.

આ ઉપાયોથી કોકરોચને ખતમ કરવામાં લાંબો સમય નથી લાગતો અને નાનાથી મોટા તમામ પ્રકારના વંદાઓ ઘરમાંથી દૂર ભાગી જાય છે અથવા મરી જાય છે

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી
Published On - 6:27 pm, Fri, 26 April 24