
અંબાજી મુલાકાતની શરૂઆતના સફરથી રાતની મહાઆરતી સુધી તમામ પ્રધાનો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા. તેમણે ભજન કર્યા બાદ માની ચોથા દિવસની પરિક્રમા કરીને મહાઆરતીમાં જોડાયા. જે બાદ ખૂબ હર્ષોલ્લાસથી પ્રધાનો અને ધારાસભ્યો ગરબા પણ રમ્યા હતા.

ગરબા બાદ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ લાઇટ એન્ડ સાઉન્ડ શો માણ્યો હતો. અંબાજીમાં પરિક્રમાના ચોથા દિવસે તળેટીમાં ગરબા અને આરાધનાથી સમગ્ર માહોલ જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યો હતો.