
ARY ચેનલના ન્યૂઝ શો દરમિયાન અંકરે સીરિયા પર કહ્યું, "સીરિયાની સ્થિતિ જુઓ, ઇઝરાયલીઓ ફરીથી ગોલાન હાઇટ્સ પર આવી ગયા છે, દેશનો કેટલોક ભાગ કુર્દના કબજામાં છે, કેટલોક ભાગ તુર્કી પાસે છે. અલ કાયદા તેમાં એક મોટો ભાગ છે. આ બધું જણાવતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાને ચિંતા કરવી જોઈએ કારણ કે દેશમાં આતંકવાદની ખૂબ જ ડરામણી લહેર છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં અલગતાવાદ જોવા મળી રહ્યો છે. હાલમાં પાકિસ્તાનમાં વર્તમાન સરકાર સામે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે.

એન્કરે દેશના નેતાઓ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, શું ઈમરાન ખાન, પાક આર્મી, વડાપ્રધાન અને અન્ય લોકો સીરિયાનુ ચિત્ર જોઈ રહ્યા છે અથવા તેઓ નક્કી કરવામાં અટવાયેલા છે કે કોણ 4 વર્ષ પૂરા કરશે? આપણો મુદ્દો એ છે કે આપણે આપણી પાસેથી શીખ્યા નથી, બીજા પાસેથી શું શીખીશું!

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જેના કારણે દેશમાં દરરોજ સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. આ સિવાય બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં લોકો અલગ દેશની માંગ કરી રહ્યા છે. દેશમાં શિયા-સુન્ની સંઘર્ષ પણ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ઘણા લોકો ડરવા લાગ્યા છે કે, બાંગ્લાદેશ અને સીરિયાની જેમ આ વિરોધ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે અને પાકિસ્તાનમાં પણ બળવો થઈ શકે છે. દેશના ટુકડા થઈ શકે છે.
Published On - 2:01 pm, Wed, 11 December 24