
તમે સમજી ગયા હશો કે, અમે કયા અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ. આ બીજું કોઈ નહીં પણ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન છે. 'કયામત સે કયામત તક' થી બોલિવૂડમાં પ્રવેશ કરનાર અભિનેતાની પર્સનલ લાઈફ રોલરકોસ્ટર રાઈડથી ઓછી નથી.

આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેને 2 બાળકો છે જુનૈદ અને આયરા ખાન. જેમાંથી દીકરીના તો લગ્ન થઈ ગયા છે. 16 વર્ષ સાથે રહ્યા બાદ આમિર ખાને રીના દત્ત સાથે છુટાછેડા લીધા હતા. ત્યારબાદ કિરણ રાવ સાથે લગ્ન કર્યા આ લગ્ન ખુબ ટક્યા નહી અને બંન્ને અલગ થવાનો નિર્ણય લીધો હતો.

ત્રીજી વખત લગ્નના સવાલ પર આમિર ખાને ખુલાસો કર્યો છે.બર્થ ડે પાર્ટીમાં મીડિયા સામે આ વાતની જાહેરાત કરી કે, તે રિલેશનશીપમાં છે. તે પોતાની મિત્ર ગૌરી સ્પૈટને ડેટ કરી રહ્યો છે.

કે, 60 વર્ષની ઉંમરે પણ લગ્ન કરવા તેને શોભા આપે છે.તેનો અંદાજો તેને નથી.ગૌરી બેંગ્લુરુની રહેવાસી છે. તે આમિર ખાનના પ્રોડક્શન બેનર હેઠળ કામ કરે છે. ગૌરીને એક 6 વર્ષનો દીકરો પણ છે.આમિરે 2024માં ગૌરીને ડેટ કરવાનું શરુ કર્યું હતુ અને 2025માં તેમના સંબંધોને ઓફિશયલ કર્યા છે.