
નીલકાંતીની એક મરાઠી નાટક દરમિયાન તેની મુલાકાત નાના પાટેકર સાથે થઈ હતી, ત્યારબાદ બંનેએ 1978માં લગ્ન કરી લીધા હતા. નીલકંતિ પાટેકરે સચિન પિલગાંવકર દ્વારા દિગ્દર્શિત મરાઠી ફિલ્મ 'આત્મા વિશ્વાસ'માં કામ કર્યું હતું. 1989માં રિલીઝ થયેલી આ ફિલ્મ માટે નીલકંતિ પાટેકરને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે નાના પાટેકર પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો સામાજિક કાર્યોમાં ખર્ચે છે. તેમનું પોતાનું 'નામ ફાઉન્ડેશન' છે જેના દ્વારા તેઓ ગરીબ ખેડૂતોને મદદ કરે છે. તેમની સંસ્થા દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને આત્મહત્યા કરતા અટકાવે છે. આ જ કારણ છે કે નાના પાટેકર સાદું જીવન જીવે છે.

મલ્હારે રામ ગોપાલ વર્માની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ હતી ધ એટેક ઓફ 26\11. જોકે, ફિલ્મમાં કામ કર્યા બાદ હવે મલ્હારનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. મલ્હારે આ પ્રોડક્શન હાઉસ તેના પિતા નાના પાટેકરના નામે શરૂ કર્યું છે.
Published On - 11:29 am, Sat, 18 November 23