
સગાઈના ખોટા સમાચારથી મુનમુન ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. મીડિયા સાથે વાત કરતાં તેને કહ્યું કે, બકવાસ અને ખોટા સમાચાર. મુનમુને કહ્યું હતું કે તે આવી નકલી વાતો પર કોમેન્ટ કરીને પોતાની એનર્જી વેસ્ટ કરવા માંગતી નથી.

રાજે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'તમને બધાને નમસ્કાર, ફક્ત તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે તમે સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર વાંચી રહ્યા છો તે બકવાસ અને ખોટા છે.' તમને જણાવી દઈએ કે મુનમુન ઘણા વર્ષોથી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી રહી છે. રાજ, જે શોમાં ટપ્પુનું પાત્ર ભજવતો હતો, તે હવે શોનો ભાગ નથી.