
બોલિવૂડ ડિરેક્ટર અભિનવ કશ્યપનો જન્મ 6 સપ્ટેમ્બર, 1974ના રોજ ઉત્તર પ્રદેશના ઓબ્રામાં થયો હતો. તેના પિતા ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. તેણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેણે 1995માં દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું. તેના બે ભાઈબહેનો છે. એકનું નામ અનુરાગ કશ્યપ અને બીજાનું નામ અનુભૂતિ કશ્યપ. અભિનવ કશ્યપે વર્ષ 1997માં લેખક ચતુરા રાવ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ પણ છે. પરંતુ 20 વર્ષ પછી 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા.

યુપીના ગોરખપુરમાં જન્મેલા અનુરાગ કશ્યપે 1998માં રામ ગોપાલ વર્માની ક્રાઈમ ડ્રામા ફિલ્મ સત્યાથી સહ-લેખક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે આવી ઘણી ફિલ્મો કરી જેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. 2009માં તેણે દેવ ડી બનાવી જે દર્શકોને ખૂબ પસંદ આવી. આ પછી તેણે ગેંગ્સ ઓફ વાસેપુરા, બોમ્બે વેલેટ, મુકાબાઝ, મસાન, ક્વીન, ઉડતા પંજાબ, સાંઢ કી આંખ અને ઘૂમકેતુ જેવી ફિલ્મો કરી.

અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

તમને જણાવી દઈએ કે કલ્કીએ 2011માં અનુરાગ સાથે લગ્ન કર્યા હતા અને ચાર વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા હતા. જો કે હાલમાં પણ બંને વચ્ચે સારા સંબંધો છે.
Published On - 9:06 am, Fri, 29 September 23