
સંજય દત્તની જેમ ભાગ્યે જ કોઈ અન્ય બોલીવુડ અભિનેતાનું જીવન વિવાદાસ્પદ રહ્યું છે. સંજયની પહેલી પત્નીનું નામ રિચા શર્મા હતું. તે અભિનેત્રી બનવા ભારત આવી હતી. પરંતુ તે અભિનેતાના પ્રેમમાં પડી અને પછી બંનેએ લગ્ન કરી લીધા. રિચાનો જન્મ 6 ઓગસ્ટ 1964ના રોજ થયો હતો. તેણે 1987માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી ત્રિશાલા છે. લગ્નના બે વર્ષ બાદ રિચાને બ્રેઈન ટ્યુમર થઈ ગયું હતું, જેના પછી 10 ડિસેમ્બર 1996ના રોજ ન્યૂયોર્કમાં તેનું અવસાન થયું હતું.

રિચા શર્માના નિધન બાદ અભિનેતા સંજય દત્તે વર્ષે 1998માં રિયા સાથે લગ્ન કર્યા, કહેવામાં આવે છે કે, સંજય રિયાને ખુબ પ્રેમ કરતો હતો. પરંતુ તેનું લગ્નજીવન સફળ રહ્યું નહિ. વર્ષે 2005માં બંન્ને અલગ થઈ ગયા હતા.

સંજય દત્ત તેની પત્ની માન્યતા દત્તને ખૂબ પ્રેમ કરે છે. તે હંમેશા અભિનેતાના સારા અને ખરાબ સમયમાં તેની સાથે રહી હતી. બંનેના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તેમનો પ્રેમ ખુબ જ છે.સંજય દત્તે માન્યતા સાથે 8 ફેબ્રુઆરી 2008ના રોજ 7 ફેરા લીધા. ત્યારે સંજયની ઉંમર લગભગ 50 વર્ષની હતી, જ્યારે માન્યતા 30 વર્ષની હતી. બંનેની ઉંમરમાં લગભગ 19 વર્ષનો તફાવત છે. બંન્નેને 2 બાળકો પણ છે.
Published On - 7:13 am, Sat, 29 July 23