
તેની પહેલી ફિલ્મ Manassinakkare હતી. જે 2003માં રિલીઝ થઈ હતી પરંતુ તેને સાચી ઓળખ 2005માં ફિલ્મ ચંદ્રમુખી સાથે મળી હતી. જેમાં તે મેગાસ્ટાર રજનીકાંતની સાથે જોવા મળી હતી.

તેમણે પોતાના કરિયરમાં અરામ,શ્રી રામ રાજ્યમ,નાનુમ રાઉડી ઘાન, રાજા રાણી, માયા, બિલ્લા, વિશ્વાસમ અને જવાન જેવી અનેક હિટ ફિલ્મો આપી છે.

નયનતારાએ ફિલ્મમેકર વિગ્નેશ શિવન સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ કપલે જુડવા બાળકોનું વેલકમ કર્યું હતુ. નયનતારાના ચાહકો મોટી સંખ્યામાં છે.

નયનતારા ખુબ લક્ઝરી લાઈફ જીવે છે. ચેન્નાઈમાં તે તેના પરિવાર સાથે રહે છે. તે ઘરની કિંમત અંદાજે 100 કરોડ રુપિયા છે. તે પ્રાઈવેટ જેટની માલિક પણ ચે. આ સિવાય તેની પાસે અનેક લક્ઝરી કારો પણ છે. અભિનેત્રી નયનતારાની ટોટલ નેટવર્થ 200 કરોડ રુપિયા છે.