
આદિત્ય ચોપરા એક ભારતીય ફિલ્મ નિર્દેશક, લેખક અને નિર્માતા છે. તેઓ હિન્દી સિનેમાના દિવંગત નિર્માતા-નિર્દેશક યશ ચોપરાના પુત્ર છે. આદિત્ય ચોપરાનો જન્મ 21 મે 1971ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક યશ ચોપરા હતા.તેમણે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. તેણે પાયલ ખન્ના સાથે પ્રથમ લગ્ન કર્યા અને 2009માં તેમના છૂટાછેડા થઈ ગયા. 21 એપ્રિલ 2014ના રોજ તેણે રાની મુખર્જી સાથે લગ્ન કર્યા

પામેલા ચાપરા યશ ચોપરાની પત્ની આદિત્ય ચોપરા અને ઉદય ચોપરાની માતા અને રાની મુખર્જીની સાસુ હતી. પામેલા ચોપરાએ 1970માં યશ ચોપરા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એરેન્જ મેરેજ કર્યા હતા. પતિ યશ ચોપરાના મૃત્યુના લગભગ 11 વર્ષ બાદ પામેલા ચોપરાએ પણ આ દુનિયા છોડી દીધી હતી.

રાની મુખર્જીએ પોતાની એક્ટિંગ કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. રાની મુખર્જીએ બોલિવુડના જાણીતા નિર્માતા આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે.ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ રાનીએ 2015માં પુત્રી આદિરાને જન્મ આપ્યો હતો. રાની મુખર્જી આદિત્ય સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે. રાની મુખર્જીએ લગ્ન પછી ફિલ્મોમાં પોતાનું કામ ઓછું કરી દીધું હતું, પરંતુ સમય સમય પર તે યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી ફિલ્મોમાં જોવા મળે છે.

બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક યશરાજ ચોપરાના પુત્ર ઉદય ચોપરા કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વર્ષોથી મોટા પડદાથી દૂર હોવા છતાં ઉદય ચોપરા રાજાની જેમ જીવે છે. તમને જણાવી દઈએ કે ઉદય ચોપરા યશ રાજ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ છે. અભિનેતાએ હજુ લગ્ન કર્યા નથી.

યશ ચોપરા પ્રખ્યાત સિનેમા ફિલ્મ નિર્માતા બીઆર ચોપરાના ભાઈ હતા. બીઆર ચોપરાએ તેમના સમયમાં ઘણી શાનદાર ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું. યશ ચોપરાએ 1959માં તેમના ભાઈના બેનર હેઠળ બનેલી ફિલ્મથી ડિરેક્ટર તરીકે સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બીઆર ચોપરા 1980ના દાયકાના અંતમાં ટેલિવિઝન સિરિયલ મહાભારતના નિર્માણ માટે જાણીતા છે.
Published On - 9:30 am, Wed, 27 September 23