
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જય અને માહી લાંબા સમયથી અલગ રહેતા હતા. સંબંધ સંભાળવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ વાત બની નહી. રિપોર્ટ મુજબ બાળકોની કસ્ટડીને લઈને પણ બંન્ને વચ્ચે આપસી સંમતિ થઈ ચૂકી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે, જેથી બાળકોના જીવન પર તેની ઓછી અસર પડે.

જય અને માહી 3 બાળકોના માતા-પિતા છે. તેની દીકરીનો જન્મ 2019માં થયો છે અને તેમણે 2 બાળકો રાજવીર અને ખુશીને દત્તક લીધા છે. 3 બાળકો બંન્નેની ખુબ નજીક છે. હંમેશા સોશિયલ મીડિયા પર સાથે ફોટો અને વીડિયો શેર કરતા હોય છે.

થોડા મહિનાથી ચાહકો બંન્ને વચ્ચે બધું યોગ્ય ચાલી રહ્યું નથી. તેની ચર્ચા કરી રહ્યા હતા. તેના બ્લોગ પણ બંધ થઈ ચૂક્યા છે. તેમજ બંન્ને છેલ્લી વખત દીકરી તારાના જન્મદિવસ પર ઓગસ્ટ 2024માં સાથએ જોવા મળ્યા હતા. ત્યારબાદ બંન્ને સાથે જોવા મળ્યા નથી.

રિપોર્ટ મુજબ સંબંધોમાં તણાવની શરુઆત માહીના વિશ્વાસની સમસ્યાથી શરુ થઈ હતી. ધીમે ધીમે બંન્ને વચ્ચે અંતર વધવા લાગ્યું. હવે આ વાત છુટાછેડા સુધી પહોંચી છે, હાલમાં જય દીકરી સાથે વેકેશન માણતો પણ જોવા મળ્યો હતો.જ્યારે માહી નવા ઘરમાં શિફટ થઈ ચૂકી છે.

આપણે જય અને માહીની લવ સ્ટોરીની વાત કરીએ તો બંન્નેની લવસ્ટોરી ટેલિવિઝનની ક્યુટ લવસ્ટોરી છે. રિયાલિટી શો, રેડ કાર્પેટ, ઈવેનટ્ તેમજ સોશિયલ મીડિયા પર બંન્નેની કેમિસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવતી હતી.