
તમને જણાવી દઈએ કે, સૌંદર્યાએ બે લગ્ન કર્યા છે. પહેલા તેના લગ્ન 2010માં અશ્વિન કુમાર સાથે થયા હતા. અશ્વિન પણ વ્યવસાયે બિઝનેસમેન હતો. સૌંદર્યાને તેના પહેલા લગ્નથી એક પુત્ર પણ છે, જેનું નામ વેદ છે. સૌંદર્યાએ વર્ષ 2017માં જ અશ્વિન કુમારથી કાયદાકીય રીતે છૂટાછેડા લીધા હતા. સૌંદર્યાએ ઉદ્યોગપતિ અને અભિનેતા વિશગન વનંગામુડી સાથે બીજા લગ્ન કર્યા છે.તમને જણાવી દઈએ કે સૌંદર્યા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ છે. તે વ્યવસાયે ફિલ્મ નિર્માતા, ગ્રાફિક ડિઝાઇનર અને દિગ્દર્શક છે. તે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેના પિતા રજનીકાંતની ફિલ્મનું નિર્દેશન પણ કરી ચૂકી છે.

સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને જમાઈ ધનુષ (South Star Dhanush)તેમના 18 વર્ષ જૂના સંબંધોનો અંત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, 18 નવેમ્બર 2004ના રોજ ઐશ્વર્યા અને ધનુષ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા અને ધનુષને બે બાળકો છે – યાત્રા અને લિંગા. યાત્રાનો જન્મ વર્ષ 2007 અને લિંગાનો વર્ષ 2010માં થયો હતો.
Published On - 9:30 am, Tue, 11 July 23