
કોલેજના દિવસોમાં, તેઓ હિન્દી થિયેટર સાથે સંકળાયેલા હતા. નાગપુરની મેડિકલ કોલેજમાં તેમના ઘણા મિત્રો હતા અને તેથી, કોલેજમાં થિયેટરમાં ઘણો સમય વિતાવતા હતા.

તેમના પિતાએ દીકરાને ફોટોગ્રાફ્સ લીધા અને તેને મુંબઈની એક અભિનય શાળામાં મોકલ્યો. જોકે રાજકુમાર હિરાણી તેમાં ફિટ ન થઈ શક્યા અને ત્રણ દિવસ પછી નાગપુર પાછા ફર્યા.

ત્યારબાદ તેમના પિતાએ તેમને પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અરજી કરવા કહ્યું, પરંતુ અભિનયનો અભ્યાસક્રમ બંધ થઈ ગયો હતો અને દિગ્દર્શન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની તેમની શક્યતાઓ ઓછી દેખાતી હતી કારણ કે, અનેક અરજીઓ હતી. હિરાણીએ ફિલ્મ એડિટિંગ કોર્સ પસંદ કર્યો, અને શિષ્યવૃત્તિ મેળવીે

રાજકુમાર "રાજુ" હિરાણી એક ભારતીય ફિલ્મ નિર્માતા છે જે હિન્દી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે. તેને ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 11 ફિલ્મફેર પુરસ્કારો મળી ચૂક્યા છે

રાજકુમાર હિરાણીને ભારતીય સિનેમાના સૌથી સફળ ફિલ્મ નિર્માતાઓમાંના એક તરીકે ઓળખવામાં આવે છે. તેમની ફિલ્મો રમૂજની સાથે મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓની આસપાસ હોય છે.

FTIIમાંથી એડિટિંગમાં સ્નાતક થયા પછી, એક ખરાબ અનુભવે તેમને જાહેરાત ફિલ્મો તરફ વળવાની ફરજ પાડી, જ્યાં તેમણે ઘણી સફળ જાહેરાતો બનાવી.

રાજકુમાર હિરાણીએ પોતાના કરિયરની શરુઆત ફિલ્મ એડિટર તરીકે કરી હતી, વર્ષ 2003માં રાજકુમાર હિરાનીએ પોતાની પહેલી ફિલ્મ મુન્ના ભાઈ એમબીબીએસ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. આજે વર્ષો બાદ પણ આ ફિલ્મને ચાહકો ખુબ પસંદ કરે છે.

ત્યારબાદ રાજકુમાર હિરાનીએ આમિર ખાનની સાથે બોલિવુડની સૌથી ચર્ચિત ફિલ્મમાંથી એક થ્રી ઈડિયટ્સ બનાવી હતી.આ ફિલ્મ બોલિવુડના ઈતિહાસની સૌથી સુપરહિટ ફિલ્મમાંથી એક બની હતી.

ત્યારબાદ 200માં પીકે ફિલ્મ બનાવી આ ફિલ્મ હિટ ગઈ. 2018માં સંજુ બનાવી તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. 2023માં ડંકી ફિલ્મ બનાવી. આ ફિલ્મને પણ ચાહકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો.

રાજકુમાર હિરાનીની ફિલ્મો માટે, હીરો અને હીરોઈન નહીં પણ બોમન ઈરાનીને લકી ચાર્મ માનવામાં આવે છે.

રાજકુમાર હિરાનીની બધી જ ફિલ્મોમાં બોમન ઈરાનીએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આ સાથે, જીમી શેરગિલ રાજકુમાર હિરાનીની મોટાભાગની ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.
Published On - 3:10 pm, Mon, 17 March 25