
તેનું માનવું છે કે, આ રીતે ઉપવાસ કરવાથી શરીરને આરામ અને ખુદને ફિટનેસ કરવાની તક આપે છે. તેમણે ક્યું કે, જ્યારે આપણે સતત જમ્યા રાખીએ છીએ તો પેટને ક્યારે પણ આરામ મળતો નથી. પરંતુ જ્યારે તમે થોડા સમય માટે ભૂખ્યા રહો છો તો સ્ફુતિ રહે છે. તેમના ઉપવાસ પાછળનું કારણ ધાર્મિક નથી પણ ફિટનેસ સાથે વધુ સંબંધિત છે.

અભિનેતાનું માનવું છે કે, આજકાલ લોકો બીમારીઓની ઝપેટમાં જલ્દી આવી જાય છે. ખોટા સમયે અને મોડી રાત્રે ભોજન કરવું અને વારંવાર ખાવાની આદત આપણી પાચન પ્રકિયાને નુકસાન પહોંચાડે છે. એટલા માટે હું સાંજે 6:30 વાગ્યા સુધીમાં જમી લઉં છું, પણ દર સોમવારે ઉપવાસ કરીને પોતાના શરીરને ફરીથી સ્વસ્થ થવાની તક પણ આપે છે.

ખૂબ જ સરળ ભાષામાં સમજાવતા તેમણે કહ્યું, 'કલ્પના કરો, જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે શરીરના બધા ભાગો આરામ કરી રહ્યા હોય છે, પરંતુ પેટ નહીં. જો તમે રાત્રે મોડા ખાઓ છો, તો સૂતી વખતે પણ પેટ કામ કરી રહ્યું છે. આ ફક્ત પાચનમાં મદદ કરતું નથી પણ પાચનમાં પણ સુધારો કરે છે.'

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ ઉપવાસ કોઈ ધાર્મિક કે પરંપરાગત વિધિ નથી, પરંતુ એક હેલ્ધી પ્રેક્ટિસ છે. તેમનો ઉદ્દેશ્ય શરીરને સમય આપવાનો છે જેથી તે પોતાને ડિટોક્સ કરી શકે. તેમનું માનવું છે કે આમ કરવાથી માત્ર ઉર્જા જ નહીં પરંતુ માનસિક સ્પષ્ટતા પણ આવે છે