
વિટામિન B12 વિશે એક ખાસ વાત એ છે કે આપણું શરીર તેને સ્વયં બનાવી શકતું નથી. તેથી આ વિટામિન મેળવવા માટે ખોરાકમાં એવા પદાર્થોનો સમાવેશ કરવો જરૂરી છે, જેમાં વિટામિન B12 પૂરતું પ્રમાણમાં હાજર હોય. ( Credits: AI Generated )

ચણાની દાળ ભારતીય રસોડામાં ખૂબ ઉપયોગમાં લેવાતી અને પોષક તત્વોથી ભરપૂર કઠોળ છે. તેમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન અને ઝીંક સારું પ્રમાણમાં મળે છે. જો આ દાળને અંકુરિત કરાય અથવા તેનો આથો ઊભો કરી ખોરાકમાં (જેમ કે ઇડલી કે ઢોકળા માટેના ખીરામાં) ઉપયોગ થાય, તો તેમાં વિટામિન B12 જેવા મહત્વના પોષક તત્ત્વો ઉત્પન્ન થાય છે. માંસાહારી ખોરાક જેટલી માત્રામાં ન હોવા છતાં, આ શાકાહારીઓ માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. ( Credits: AI Generated )

ચણાની દાળનો ઉપયોગ રોજિંદા આહારમાં વિવિધ રીતે કરી શકાય છે. તમે રોજ એકવાર તેનો શાક અથવા દાળ બનાવી ખાઈ શકો છો. ફણગાવેલા ચણાનું સલાડ આરોગ્ય માટે ઉત્તમ વિકલ્પ છે. ઢોકળા કે ચીલા જેવી વાનગીઓમાં આથો આપવાથી તેમાં વિટામિન B12નું પ્રમાણ વધારી શકાય છે. ઉપરાંત, ચણાની દાળનું સૂપ અથવા ખીચડી પણ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક આપે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) ( Credits: AI Generated )