Retirement New Rules : સરકારી કર્મચારીઓ માટે મોટી ખબર, પેન્શન અને ગ્રેચ્યુટીને લઈ આવ્યું મોટું અપડેટ

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે નિર્ધારિત આટલા વર્ષ કે તેથી વધુ સેવા ધરાવતા કર્મચારીઓને જ ફરજિયાત નિવૃત્તિ પેન્શન મળશે.

| Updated on: Nov 13, 2025 | 5:17 PM
4 / 5
જો કોઈ કર્મચારી 10 વર્ષથી ઓછી સેવા પૂર્ણ કરીને ફરજિયાત નિવૃત્ત થાય છે, તો તેને પેન્શનનો લાભ નહીં મળે. પરંતુ સરકારે આવા કર્મચારીઓ માટે પણ રાહતની વ્યવસ્થા કરી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, 10 વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીઓને ‘ફરજિયાત નિવૃત્તિ સેવા ગ્રેચ્યુટી’ (Compulsory Retirement Service Gratuity) આપવામાં આવશે. આ રકમ પણ સામાન્ય નિવૃત્તિ ગ્રેચ્યુટીનો એક નિશ્ચિત ટકા હશે. આ ટકાવારી નક્કી કરવાની સત્તા પણ સક્ષમ અધિકારી પાસે રહેશે. એટલે કે, આવા કર્મચારીઓને પેન્શન નહીં મળે, પરંતુ તેમને એક વખતમાં ગ્રેચ્યુટીની રકમ મળી રહેશે.

જો કોઈ કર્મચારી 10 વર્ષથી ઓછી સેવા પૂર્ણ કરીને ફરજિયાત નિવૃત્ત થાય છે, તો તેને પેન્શનનો લાભ નહીં મળે. પરંતુ સરકારે આવા કર્મચારીઓ માટે પણ રાહતની વ્યવસ્થા કરી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, 10 વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીઓને ‘ફરજિયાત નિવૃત્તિ સેવા ગ્રેચ્યુટી’ (Compulsory Retirement Service Gratuity) આપવામાં આવશે. આ રકમ પણ સામાન્ય નિવૃત્તિ ગ્રેચ્યુટીનો એક નિશ્ચિત ટકા હશે. આ ટકાવારી નક્કી કરવાની સત્તા પણ સક્ષમ અધિકારી પાસે રહેશે. એટલે કે, આવા કર્મચારીઓને પેન્શન નહીં મળે, પરંતુ તેમને એક વખતમાં ગ્રેચ્યુટીની રકમ મળી રહેશે.

5 / 5
લાંબા સમયથી ફરજિયાત નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેચ્યુટીના નિયમોમાં સ્પષ્ટતા ન હોવાથી મૂંઝવણ સર્જાતી હતી. ખાસ કરીને ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે કરવી અને સેવા સમયગાળાના આધારે કેટલો લાભ મળશે તેની સ્પષ્ટતા નહોતી. આ અનિશ્ચિતતાને દૂર કરીને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા (Financial Security) આપવા માટે સરકારે આ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે કર્મચારીઓને તેમના નિવૃત્તિ બાદના લાભો અંગે સ્પષ્ટ સમજ મળશે અને ભવિષ્યનું આયોજન કરવું સરળ બનશે.

લાંબા સમયથી ફરજિયાત નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેચ્યુટીના નિયમોમાં સ્પષ્ટતા ન હોવાથી મૂંઝવણ સર્જાતી હતી. ખાસ કરીને ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે કરવી અને સેવા સમયગાળાના આધારે કેટલો લાભ મળશે તેની સ્પષ્ટતા નહોતી. આ અનિશ્ચિતતાને દૂર કરીને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા (Financial Security) આપવા માટે સરકારે આ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે કર્મચારીઓને તેમના નિવૃત્તિ બાદના લાભો અંગે સ્પષ્ટ સમજ મળશે અને ભવિષ્યનું આયોજન કરવું સરળ બનશે.