Car Tyre Care Tips : ઉનાળામાં કારના ટાયર કેમ ફાટે છે અને તેનાથી કેવી રીતે બચવું, જાણો સરળ ટિપ્સ

દર ઉનાળામાં ભારતમાં રસ્તાઓ પર ટાયરની સમસ્યાઓ વધારે જોવા મળે છે. ખાસ કરીને લાંબી હાઇવે મુસાફરી દરમિયાન ઘણા ડ્રાઇવરોને અચાનક પંચર અથવા ટાયર ફાટવાની સમસ્યા આવે છે. થોડા સરળ ઉપાયો અપનાવવાથી આવી મુશ્કેલીઓથી બચી શકાય છે

| Updated on: Mar 12, 2026 | 5:16 PM
1 / 7
ઉનાળામાં ભારે ગરમી અને ગરમ રોડના કારણે વાહનના ટાયર પર વધુ દબાણ પડે છે. ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન ટાયર પંચર થવા અથવા ફાટવાની શક્યતા વધી જાય છે. ઘણી વખત તેનું કારણ ટાયરની યોગ્ય કાળજી ન લેવું હોય છે. જો સમયસર ધ્યાન રાખવામાં આવે તો આવી સમસ્યાઓથી બચી શકાય છે. ( Credits: AI Generated )

ઉનાળામાં ભારે ગરમી અને ગરમ રોડના કારણે વાહનના ટાયર પર વધુ દબાણ પડે છે. ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન ટાયર પંચર થવા અથવા ફાટવાની શક્યતા વધી જાય છે. ઘણી વખત તેનું કારણ ટાયરની યોગ્ય કાળજી ન લેવું હોય છે. જો સમયસર ધ્યાન રાખવામાં આવે તો આવી સમસ્યાઓથી બચી શકાય છે. ( Credits: AI Generated )

2 / 7
ભારતમાં ઉનાળામાં તાપમાન ઘણી વખત 40°Cથી વધુ થઈ જાય છે, જેના કારણે રસ્તા પણ ખૂબ ગરમ થઈ જાય છે. આવી ગરમીમાં કાર લાંબા સમય સુધી ચાલે તો ટાયરમાં ગરમી વધે છે. તેના કારણે હવાનું દબાણ વધી જાય છે અને રબર નરમ પડી શકે છે. જો ટાયર પહેલેથી જૂનું કે વધારે ઘસાયેલું હોય તો તે ફાટવાની શક્યતા વધી જાય છે. ( Credits: AI Generated )

ભારતમાં ઉનાળામાં તાપમાન ઘણી વખત 40°Cથી વધુ થઈ જાય છે, જેના કારણે રસ્તા પણ ખૂબ ગરમ થઈ જાય છે. આવી ગરમીમાં કાર લાંબા સમય સુધી ચાલે તો ટાયરમાં ગરમી વધે છે. તેના કારણે હવાનું દબાણ વધી જાય છે અને રબર નરમ પડી શકે છે. જો ટાયર પહેલેથી જૂનું કે વધારે ઘસાયેલું હોય તો તે ફાટવાની શક્યતા વધી જાય છે. ( Credits: AI Generated )

3 / 7
ટાયર ફાટવાનું એક મુખ્ય કારણ હવાનું દબાણ યોગ્ય ન હોવું છે. કેટલાક લોકો ટાયરમાં જરૂર કરતાં વધારે હવા ભરી દે છે, જે ઉનાળાની ગરમીમાં જોખમ વધારશે. તાપમાન વધે ત્યારે ટાયરની અંદર દબાણ વધી શકે છે અને ટાયર ફાટવાની શક્યતા રહે છે. બીજી તરફ, હવા ઓછી હોય તો ટાયર પર વધુ ભાર પડે છે, જેના કારણે ગરમી અને ઘસારો બંને વધી જાય છે. ( Credits: AI Generated )

ટાયર ફાટવાનું એક મુખ્ય કારણ હવાનું દબાણ યોગ્ય ન હોવું છે. કેટલાક લોકો ટાયરમાં જરૂર કરતાં વધારે હવા ભરી દે છે, જે ઉનાળાની ગરમીમાં જોખમ વધારશે. તાપમાન વધે ત્યારે ટાયરની અંદર દબાણ વધી શકે છે અને ટાયર ફાટવાની શક્યતા રહે છે. બીજી તરફ, હવા ઓછી હોય તો ટાયર પર વધુ ભાર પડે છે, જેના કારણે ગરમી અને ઘસારો બંને વધી જાય છે. ( Credits: AI Generated )

4 / 7
ટાયર સુરક્ષિત રાખવા માટે કંપની જણાવે તે મુજબ જ એર પ્રેશર રાખવું જરૂરી છે. લગભગ દર બે અઠવાડિયામાં ટાયરનું પ્રેશર ચેક કરાવવું જોઈએ. હવા ઓછી હોય તો તરત ભરાવી લેવી. યોગ્ય એર પ્રેશર રાખવાથી ટાયરમાં ઘસારો ઓછો લાગે છે, એન્જિન પર ભાર ઓછો પડે છે અને વાહનનું માઇલેજ પણ સારું રહે છે. ( Credits: AI Generated )

ટાયર સુરક્ષિત રાખવા માટે કંપની જણાવે તે મુજબ જ એર પ્રેશર રાખવું જરૂરી છે. લગભગ દર બે અઠવાડિયામાં ટાયરનું પ્રેશર ચેક કરાવવું જોઈએ. હવા ઓછી હોય તો તરત ભરાવી લેવી. યોગ્ય એર પ્રેશર રાખવાથી ટાયરમાં ઘસારો ઓછો લાગે છે, એન્જિન પર ભાર ઓછો પડે છે અને વાહનનું માઇલેજ પણ સારું રહે છે. ( Credits: AI Generated )

5 / 7
ઘણી વખત ટાયર બહારથી ઠીક લાગે છે, પરંતુ સમય જતા તેનું રબર કમજોર થઈ શકે છે. ગરમીમાં ટાયર વધુ ફુલવાની શક્યતા રહે છે. જો ટાયરની કિનારીઓ પર તિરાડ દેખાય, કોઇ ભાગ ઉપસેલો હોય કે અસમાન ઘસારો દેખાય, તો તેને અવગણવું નહીં. આ બધું ટાયર ખરાબ થવાના સંકેતો છે ( Credits: AI Generated )

ઘણી વખત ટાયર બહારથી ઠીક લાગે છે, પરંતુ સમય જતા તેનું રબર કમજોર થઈ શકે છે. ગરમીમાં ટાયર વધુ ફુલવાની શક્યતા રહે છે. જો ટાયરની કિનારીઓ પર તિરાડ દેખાય, કોઇ ભાગ ઉપસેલો હોય કે અસમાન ઘસારો દેખાય, તો તેને અવગણવું નહીં. આ બધું ટાયર ખરાબ થવાના સંકેતો છે ( Credits: AI Generated )

6 / 7
કારમાં વધારે પેસેન્જર અથવા સામાન ભરવાથી ટાયર પર દબાણ વધી જાય છે અને તે ઝડપથી ગરમ થઈ શકે છે. તેથી વાહનમાં નિર્ધારિત મર્યાદાથી વધુ વજન ન રાખવું. જો ટાયર જૂના હોય તો ફાટવાનો ખતરો પણ વધારે રહે છે. વધુ સ્પીડ અને તડકામાં લાંબી મુસાફરી કરવાથી ટાયર વધુ ગરમ થાય છે, તેથી વચ્ચે વચ્ચે થોડો વિરામ લેવો વધુ સુરક્ષિત રહે છે. ( Credits: AI Generated )

કારમાં વધારે પેસેન્જર અથવા સામાન ભરવાથી ટાયર પર દબાણ વધી જાય છે અને તે ઝડપથી ગરમ થઈ શકે છે. તેથી વાહનમાં નિર્ધારિત મર્યાદાથી વધુ વજન ન રાખવું. જો ટાયર જૂના હોય તો ફાટવાનો ખતરો પણ વધારે રહે છે. વધુ સ્પીડ અને તડકામાં લાંબી મુસાફરી કરવાથી ટાયર વધુ ગરમ થાય છે, તેથી વચ્ચે વચ્ચે થોડો વિરામ લેવો વધુ સુરક્ષિત રહે છે. ( Credits: AI Generated )

7 / 7
જો વ્હીલ એલાઇન્મેન્ટ બરાબર ન હોય તો ટાયર અસમાન રીતે ઘસાય છે અને ઝડપથી ગરમ થાય છે. તેથી આ બાબતને અવગણવી નહીં. નિયમિત સર્વિસ સાથે યોગ્ય એલાઇન્મેન્ટ અને બેલેન્સિંગ કરાવવાથી ટાયર લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે છે અને ખાસ કરીને ઉનાળામાં ફાટવાનું જોખમ ઓછું થાય છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

જો વ્હીલ એલાઇન્મેન્ટ બરાબર ન હોય તો ટાયર અસમાન રીતે ઘસાય છે અને ઝડપથી ગરમ થાય છે. તેથી આ બાબતને અવગણવી નહીં. નિયમિત સર્વિસ સાથે યોગ્ય એલાઇન્મેન્ટ અને બેલેન્સિંગ કરાવવાથી ટાયર લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે છે અને ખાસ કરીને ઉનાળામાં ફાટવાનું જોખમ ઓછું થાય છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )