હવે રોકડમાં પણ રોકાણ કરશો ! મ્યુચ્યુઅલ ફંડનો આ નિયમ તમને ખબર છે કે નહીં?

હાલની તારીખમાં મોટાભાગના લોકો 'મ્યુચ્યુઅલ ફંડ'માં રોકાણ કરે છે અને સારું એવું રિટર્ન મેળવે છે. હવે આ બધા વચ્ચે સવાલ એ છે કે, શું 'મ્યુચ્યુઅલ ફંડ'માં રોકડમાં પણ રોકાણ કરી શકો છો?

| Updated on: Jan 21, 2026 | 6:41 PM
1 / 8
'મ્યુચ્યુઅલ ફંડ' આજે રોકાણકારોમાં ઘણું લોકપ્રિય બન્યું છે. મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તમે એક જ ફંડ દ્વારા અલગ-અલગ સિક્યોરિટીઝમાં અથવા એક જેવી સિક્યોરિટીઝમાં પણ રોકાણ કરી શકો છો. તમે કોઈપણ બ્રોકરેજ એપ્લિકેશનની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

'મ્યુચ્યુઅલ ફંડ' આજે રોકાણકારોમાં ઘણું લોકપ્રિય બન્યું છે. મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તમે એક જ ફંડ દ્વારા અલગ-અલગ સિક્યોરિટીઝમાં અથવા એક જેવી સિક્યોરિટીઝમાં પણ રોકાણ કરી શકો છો. તમે કોઈપણ બ્રોકરેજ એપ્લિકેશનની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

2 / 8
હવે નિયમ મુજબ કેટલાક લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા બાબતે છૂટછાટ આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે, રોકડ (Cash) દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે.

હવે નિયમ મુજબ કેટલાક લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા બાબતે છૂટછાટ આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે, રોકડ (Cash) દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે.

3 / 8
મ્યુચ્યુઅલ ફંડમાં આમ તો રોકડ (Cash) દ્વારા રોકાણ કરી શકાતું નથી. જો કે, કેટલાક લોકોને આ બાબતે છૂટછાટ આપવામાં આવી છે. નિયમ અનુસાર, જે લોકો કરદાતા (Taxpayers) નથી અને જેમની પાસે પાન કાર્ડ (PAN) કે બેંક ખાતું નથી, તેઓ રોકડ (Cash) દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડમાં આમ તો રોકડ (Cash) દ્વારા રોકાણ કરી શકાતું નથી. જો કે, કેટલાક લોકોને આ બાબતે છૂટછાટ આપવામાં આવી છે. નિયમ અનુસાર, જે લોકો કરદાતા (Taxpayers) નથી અને જેમની પાસે પાન કાર્ડ (PAN) કે બેંક ખાતું નથી, તેઓ રોકડ (Cash) દ્વારા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે.

4 / 8
આમાં ખેડૂતો, નાના વેપારીઓ, નાના વ્યવસાયિકો અને શ્રમિકોનો સમાવેશ થાય છે. બસ શરત માત્ર એટલી છે કે, એક નાણાકીય વર્ષ દીઠ રોકડ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 50,000 રૂપિયા સુધીનું જ રોકાણ કરી શકાય છે.

આમાં ખેડૂતો, નાના વેપારીઓ, નાના વ્યવસાયિકો અને શ્રમિકોનો સમાવેશ થાય છે. બસ શરત માત્ર એટલી છે કે, એક નાણાકીય વર્ષ દીઠ રોકડ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 50,000 રૂપિયા સુધીનું જ રોકાણ કરી શકાય છે.

5 / 8
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) માં આનો ઉલ્લેખ પણ છે. આ સાથે જ સેબી (SEBI) એ પણ તેના એએમએલ (Anti Money Laundering) અંતર્ગત બહાર પાડેલા સર્ક્યુલરમાં આ વાત કહી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) માં આનો ઉલ્લેખ પણ છે. આ સાથે જ સેબી (SEBI) એ પણ તેના એએમએલ (Anti Money Laundering) અંતર્ગત બહાર પાડેલા સર્ક્યુલરમાં આ વાત કહી છે.

6 / 8
વધુમાં, આ નિયમનો AML ના રેગ્યુલેશન અને ગાઈડલાઈન્સમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એ વાત ધ્યાનમાં લેવા જેવી જરૂરી છે કે, આનો લાભ માત્ર નાના વેપારીઓ અને ભારતના રહેવાસીઓ જ ઉઠાવી શકે છે. વાલીઓ (Parents/Guardians) દ્વારા રોકાણ કરતા સગીરો (Minors) ને પણ આ સુવિધા આપવામાં આવી છે.

વધુમાં, આ નિયમનો AML ના રેગ્યુલેશન અને ગાઈડલાઈન્સમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એ વાત ધ્યાનમાં લેવા જેવી જરૂરી છે કે, આનો લાભ માત્ર નાના વેપારીઓ અને ભારતના રહેવાસીઓ જ ઉઠાવી શકે છે. વાલીઓ (Parents/Guardians) દ્વારા રોકાણ કરતા સગીરો (Minors) ને પણ આ સુવિધા આપવામાં આવી છે.

7 / 8
જો કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર તમારે ચાર્જીસ અને ટેક્સ ભરવો પડે છે. હવે આમાં રોકાણ કરવા માટે નજીકના ફંડ હાઉસ (AMC) અથવા વિતરક (Distributor) ની મુલાકાત લો. ત્યારબાદ રોકાણનું ફોર્મ ભરો અને KYC (Know Your Customer) પ્રક્રિયા પૂર્ણ કરો. આટલું કર્યા બાદ ₹50,000 સુધીની મર્યાદામાં રોકડ પેમેન્ટ કરો.

જો કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર તમારે ચાર્જીસ અને ટેક્સ ભરવો પડે છે. હવે આમાં રોકાણ કરવા માટે નજીકના ફંડ હાઉસ (AMC) અથવા વિતરક (Distributor) ની મુલાકાત લો. ત્યારબાદ રોકાણનું ફોર્મ ભરો અને KYC (Know Your Customer) પ્રક્રિયા પૂર્ણ કરો. આટલું કર્યા બાદ ₹50,000 સુધીની મર્યાદામાં રોકડ પેમેન્ટ કરો.

8 / 8
આ નિયમનો ઉદ્દેશ્ય દેશમાં નાણાકીય સમાવેશ (Financial Inclusion) ને પ્રોત્સાહન આપવાનો અને જે લોકો પાસે પરંપરાગત બેંકિંગ સુવિધાઓ નથી, તેમને રોકાણની તકો પૂરી પાડવાનો છે.

આ નિયમનો ઉદ્દેશ્ય દેશમાં નાણાકીય સમાવેશ (Financial Inclusion) ને પ્રોત્સાહન આપવાનો અને જે લોકો પાસે પરંપરાગત બેંકિંગ સુવિધાઓ નથી, તેમને રોકાણની તકો પૂરી પાડવાનો છે.