
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના જણાવ્યા અનુસાર આ વર્ષે યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ 57 દિવસની યાત્રા માટે રજિસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થાય છે.

શ્રદ્ધાળુઓની સલામતી માટે, RFID કાર્ડ અને 10 લાખનો અકસ્માત વીમો સહિત કડક પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. યાત્રા તેમજ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવામાં આવે અને તેના રુટ ક્યા ક્યા છે. તેના વિશે જાણી લો.

અમરનાથ યાત્રાની શરુઆત 3 જુલાઈથી થશે. આ વખતે યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે. જે ગત્ત વર્ષની તુલનામાં ખુબ લાંબી છે.યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન 15 એપ્રિલ 2026થી શરુ થશે. દેશભરમાં 550થી વધારે બેંકમાં તમે ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

13 થી 70 વર્ષના શ્રદ્ધાળુઓ યાત્રા કરી શકે છે. તેમજ મહત્વની વાત એ છે કે, જો તમારો વિચાર આ યાત્રા કરવાનો છે. તો તેના માટે હેલ્થનું પ્રમાણપત્ર આપવું ખુબ જરુરી છે.

પહલગામ રુટ 48 કિમી લાંબા આ રસ્તા ખુબ લાંબા છે પરંતુ તેનું ચઢાણ ખુબ સરળ છે. પહેલી વખત યાત્રા કરનાર માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.માત્ર 14 કિલોમીટર લાંબો નાનકડો રસ્તો ખુબ પડકારજનક છે. તેમજ ચઢાઈ વાળો છે. અનુભવી ટ્રેકર્સ હંમેશા આ બાલતાલ રુટનો રસ્તો પસંદ કરે છે.

દરેક મુસાફરોને RFID કાર્ડ આપવામાં આવશે. જેનાથી પ્રશાસન રિયલ ટાઈમમાં તેનું લોકેશન ટ્રૈક કરી શકશે. આ સાથે દરેક મુસાફરોને 10 લાખ રુપિયાનો વીમા કવર પણ આપવામાં આવશે.

બાલટાલ રુટ પર ગુફા વીજળી તેમજ લાઈટિંગની સુવિધા કરવામાં આવી છે. આ સાથે પાલકી ઘોડા માટે પ્રી-પેડની બુકિંગ સિસ્ટમ પણ શરુ થશે. (all photo : PTI)