
આજકાલ કારને સ્ટાઈલિશ બનાવવી તેમજ યુનિક બનાવવાનો ટ્રેડ ચાલી રહ્યો છે. લોકો પોતાની ગાડીમાં અલગ અલગ પ્રકારના મોડિફિકેશન કરાવે છે પરંતુ દરેક ફેરફાર કાનુની હોતો નથી. એક નાનકડી ભૂલ તમને મુશ્કેલીમાં નાંખી શકે છે. આ માટેએ જાણવું જરુરી છે કે, કારમાં ક્યા ક્યા ફેરફાર કરવા જોઈએ.

કારમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા આરટીઓના નિયમો જાણવા ખુબ જરુરી છે. કોઈ પણ પરવાનગી વગર કે નિયમો બહાર મોડિફિકેશન કરાવ્યું તો તે ગેર-કાનુની માનવામાં આવે છે. તેમજ આના પર કાર્યવાહી પણ થઈ શકે છે.

તમે કારની અંદર અનેક ફેરફાર કરી શકો છો. જેમ કે,સીટ કવર બદલવું,નવું મ્યુઝિક સિસ્ટમ લગાવવી કે પછી ડેશબોર્ડનું ફિનિશિંગ બદલવું આ તમામ મોડિફિકેશન કાનુની માળખામાં આવે છે.

જો તમે તમારી કારનો રંગ બદલવા માંગો છો. તો પહેલા આરટીઓની પરવાનગી લેવી જરુરી છે. ત્યારબાદ નવી જાણકારીને આરસી બુકમાં અપટેડ કરવી પણ જરુરી છે.કારમાં એલોય વ્હીલ્સ લગાવવા કાયદેસર છે, પરંતુ તે કંપનીના માનક કદને પૂર્ણ કરવા આવશ્યક છે.

પેટ્રોલ કારમાં અપ્રુવ્ડ સીએનજી કિટ લગાવવી પણ માન્ય છે. જેને ઈન્સટોલ કર્યા બાદ વાહનનું રજિસ્ટ્રેશન પેપરમાં અપડેટ કરવું જરુરી છે. કારમાં ફાસ્ટ અવાજ વાળા આફ્ટરમાર્કેટ સાઈલેન્સર કે પછી બ્લોક ગ્લાસ લગાવવા કાનુન વિરુદ્ધ છે. જેનાથી મોટો દંડ પણ લાગી શકે છે.

જો તમે કારની વાયરિંગ કે પછી સ્ટ્રક્ચરમાં છેડતી કરી તો કંપની તમારું વોરંટી પૂર્ણ કરી શકે છે. મોડિફિકેશનની જાણકારી ઈન્શોયરન્સ કંપનીને ન આપવામાં આવે તો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે.(ALL Photo : Canva)