
મોડી રાત્રે ભારે ખોરાક લેવાથી પાચન પ્રક્રિયા ધીમી પડે છે અને ઊંઘની ગુણવત્તા પર પણ અસર થાય છે. તેથી સૂતા પહેલા ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલાં ભોજન પૂર્ણ કરવું યોગ્ય છે. જો રાત્રે હળવી ભૂખ લાગે, તો બદામ, ગરમ દૂધ અથવા ચેરીનો રસ જેવા સરળતાથી પચી શકે એવા નાસ્તાનો વિકલ્પ પસંદ કરો. આવા હળવા ખોરાક શરીરને આરામ આપે છે અને સવારે પેટ સાફ રહેવામાં મદદરૂપ બને છે. ( Credits: AI Generated )

ફાઇબર પાચનતંત્રને ગતિશીલતા રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આંતરડાની ગતિને સંતુલિત રાખે છે. ઓટ્સ, ક્વિનોઆ, જુવાર, કઠોળ, તેમજ પાલક, બ્રોકોલી અને ગાજર જેવી શાકભાજી ખોરાકને સરળતાથી પચાવવામાં મદદરૂપ બને છે. ઉપરાંત, સફરજન, નારંગી, કીવી અને બેરી જેવા ફળોમાં ફાઇબર તથા પાણીનું પૂરતું પ્રમાણ હોય છે, જે કબજિયાતની સમસ્યા રોકવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

રાત્રિના સમયે તળેલા, પ્રોસેસ્ડ અથવા રિફાઈન્ડ ખોરાક, ફાસ્ટ ફૂડ, લાલ માંસ, વધુ ખાંડવાળી મીઠાઈઓ અને ચીઝ જેવા ભારે ડેરી ઉત્પાદનો ખાવાથી કબજિયાતની સમસ્યા વધે છે. તેથી, આવા ખોરાક ટાળીને હળવા અને ફાઇબરથી સમૃદ્ધ ખોરાક લેવું વધુ આરોગ્યદાયક છે. ( Credits: AI Generated )

પાણી મળને નરમ રાખવામાં અને ફાઇબરને અસરકારક રીતે કાર્ય કરવા માટે મદદરૂપ બને છે. જો શરીરમાં પાણી અને ફાઇબરની અછત રહે, તો કબજિયાતની સમસ્યા વધુ વધી શકે છે. પુખ્ત વ્યક્તિઓએ દરરોજ અંદાજે 11 થી 15 કપ જેટલા પ્રવાહીનું સેવન કરવું આવશ્યક છે. ઉપરાંત, સૂપ, ફળો જેવા વિકલ્પો સાંજે શરીરમાં પૂરતી હાઇડ્રેશન જાળવવામાં સહાયક બને છે. ( Credits: AI Generated )

આદુ, કેમોમાઈલ અને પેપરમિન્ટ જેવી હર્બલ ચા પેટ માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આ પ્રકારના ગરમ પીણાં શરીરમાં તણાવ ઘટાડે છે અને આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે, જેનાથી અપચો, ગેસ અને ફૂલાવાની સમસ્યામાં રાહત મળે છે. આદુની ચા પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે, કેમોમાઈલ ચા મન અને શરીરને શાંત કરીને ઊંઘની ગુણવત્તા વધારે છે, જ્યારે પેપરમિન્ટ ચા આંતરડાની ગતિ સુધારીને સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપે છે. નિયમિત રીતે આ ચાનું સેવન આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: AI Generated )